For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે: ભાગવત

11:16 AM Sep 15, 2025 IST | Bhumika
જ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે વિવાદો ઉદ્ભવે છે  ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડો. મોહન ભાગવતે રવિવારે ઇન્દોરમાં કહ્યું કે વ્યક્તિગત હિતોએ વિશ્વમાં સંઘર્ષ જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે વ્યક્તિ પોતાને બીજાઓથી શ્રેષ્ઠ માને છે ત્યારે જ વિવાદો ઉદ્ભવે છે. ભાગવતના મતે, આપણી સંસ્કૃતિ શીખવે છે કે દરેક વ્યક્તિ સમાન છે, પરંતુ વર્તનમાં ઘણીવાર સમાનતા જોવા મળતી નથી.

Advertisement

આજની વૈશ્વિક સમસ્યાઓનું મૂળ આ વિચારસરણી છે. ભાગવત બ્રિલિયન્ટ ક્ધવેન્શન સેન્ટર ખાતે આયોજિત મંત્રી પ્રહલાદ પટેલના પુસ્તક પરિક્રમા કૃપાસાર ના વિમોચન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ડો. મોહન યાદવ, ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીય, ધારાસભ્ય રમેશ મેન્ડોલા અને ભૂતપૂર્વ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

પોતાના સંબોધનમા સંઘના વડાએ નર્મદા નદી અને પરિક્રમાના આધ્યાત્મિક અને સામાજિક મહત્વ વિશે વિગતવાર ચર્ચા કરી. તેમણે કહ્યું કે નર્મદા પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ તે આપણને પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડવાનું એક માધ્યમ છે.

Advertisement

આ અનુભવ જીવનને નવી દિશા આપે છે અને વ્યક્તિને આત્મનિરીક્ષણ કરવાની પ્રેરણા આપે છે. મોહન ભાગવતે કહ્યું કે દુનિયામાં એક ઈશ્વર હોય કે અનેક, સંઘર્ષો થવા સ્વાભાવિક છે, પરંતુ ભારતીય દર્શન આપણને શીખવે છે કે આવા વિવાદોમાં પડવાની જરૂૂર નથી. અમારી દ્રષ્ટિએ, ફક્ત ભગવાન જ છે અને બીજું કોઈ નથી, તેથી બધા સંઘર્ષો અર્થહીન બની જાય છે. જીવનનું સત્ય એ છે કે આપણે બધા એક છીએ, પરંતુ વ્યવહારમાં આપણે બધા સાથે સમાન વર્તન કરતા નથી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાને બીજાઓ કરતાં શ્રેષ્ઠ માનવા લાગે છે, ત્યારે સંઘર્ષ અને વિવાદ જન્મે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement