For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય કોસ્ટ ગાર્ડના DG પાલનું હાર્ટએટેકથી નિધન

11:13 AM Aug 19, 2024 IST | admin
ભારતીય કોસ્ટ ગાર્ડના dg પાલનું હાર્ટએટેકથી નિધન

રાકેશ પાલના મૃત્યુ અંગે રાજનાથસિંહે શોક વ્યકત કર્યો

Advertisement

ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રાકેશ પાલે ચેન્નાઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાકેશ પાલનીના અકાળ નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.

ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલનું રવિવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. રાકેશ પાલે તામિલનાડુના ચેન્નાઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

Advertisement

આ દુખદ ઘટનાને લઈ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે તે એક સક્ષમ અને પ્રતિબદ્ધ અધિકારી છે.

રાજનાથ સિંહે ભારતીય કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલના નિધન પર તેમના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલના અકાળે નિધનથી ખૂબ જ દુ:ખી છું. તેઓ એક સક્ષમ અને પ્રતિબદ્ધ અધિકારી હતા, જેમના નેતૃત્વમાં આઇસીજી ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા માટે ખૂબ પ્રગતિ કરી રહ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement