For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂા.1.5 લાખના આઇફોનના પૈસા ન ચૂકવવા પડે એટલે ડિલિવરી બોયની હત્યા

11:07 AM Oct 01, 2024 IST | admin
રૂા 1 5 લાખના આઇફોનના પૈસા ન ચૂકવવા પડે એટલે ડિલિવરી બોયની હત્યા

ફિલપકાર્ટમાં ઓર્ડર કર્યા બાદ લખનઉમાં ડિલિવરી વખતે બે ભાઇઓએ હત્યા કરી

Advertisement

ઓનલાઈન શોપિંગની જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટમાંથી કેશ ઓન ડિલિવરી પર રૂૂ. 1.5 લાખની કિંમતના બે મોબાઈલ ફોન ઓર્ડર કર્યા બાદ લખનઉમાં એક ડિલિવરી બોયની હત્યાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગયા અઠવાડિયે થયેલી આ હત્યાનો ખુલાસો સોમવારે યુપી પોલીસે કર્યો હતો. જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર 1.5 લાખ રૂૂપિયાની કિંમતનો આઈફોન ઓર્ડર કરવામાં આવ્યો હતો. 23 સપ્ટેમ્બરની આ ઘટનામાં ડિલિવરી બોય ભરત સાહુનો ફોન આવ્યા બાદ પૈસા આપવાના બદલામાં તેને ઘરની અંદર ઘસડી ગયો હતો, ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ લાશને બોરીમાં બંધ કરીને ઈન્દિરા કેનાલમાં ડુબાડી દેવામાં આવી હતી.

લાશ હજુ સુધી મળી નથી. જઉછઋની ટીમ કેનાલમાં લાશની શોધ કરી રહી છે.
લખનૌના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શશાંક સિંહના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય ભરત મૂળ અમેઠીના જામો સાંમભાઈ ગામનો રહેવાસી હતો. લખનૌના સત્રિખ રોડ પર પત્ની સાથે ભાડે રહેતો હતો. ભરતનો નાનો ભાઈ નિશાતગંજમાં રહે છે. ભરત ફ્લિપકાર્ટમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ચિનહાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટકરોહીના ગજાનને 1.5 લાખ રૂૂપિયાના બે મોબાઈલ ફોન મંગાવ્યા હતા. પેમેન્ટ કેશ ઓન ડિલિવરી કરવાનું હતું. 23 સપ્ટેમ્બરે, ભરત ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી ડિલિવરી માટે નીકળ્યો અને બપોરે ટાક્રોહીમાં ગજાનનના ઘરે પહોંચ્યો. લખનૌમાં, તેનું નામ પૂછવા પર, ડિલિવરી બોયના ચહેરા પર દારૂૂ ફેંકવામાં આવ્યો, તેને બંધક બનાવીને મારવામાં આવ્યો.

Advertisement

ભરતે ગજાનનને મોબાઈલ આપ્યો અને પૈસા આપવા કહ્યું. પરંતુ ગજાનને પૈસા આપવાની ના પાડી દીધી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગજાનને ભરતને ઘરની અંદર ખેંચ્યો. તેને ગંભીર રીતે મારવામાં આવ્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી. ઘટના બાદ ગજાનને લાશને બોરીમાં ભરીને ઘરમાં રાખી હતી. ગજાનને મૃતદેહનો નિકાલ કરવા માટે તેના મિત્ર આકાશને બોલાવ્યો હતો. આ લોકોએ લાશને કારમાં લઈને ઈન્દિરા કેનાલમાં જઈને કેનાલમાં ફેંકી દીધી હતી. બંને ઘરે પાછા ફર્યા, સ્નાન કર્યું અને કપડાં બદલ્યા. બીજા દિવસે સવારે ગજાનન ઘરેથી ભાગી ગયો. ડિલિવરી બોય ઉસ્માને સુરંગમાં લૂંટનું કાવતરું ઘડ્યું હતું, પોલીસે 1600 કબજે લીધા હતા અને 7ની ધરપકડ કરી હતી.

બીજી તરફ ભરત પરત ન આવતા અને મોબાઈલમાં રૂૂ.1.5 લાખ જમા ન થતાં ફ્લિપકાર્ટના મેનેજરે મોડી સાંજે ભરતને ફોન કર્યો હતો પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ હતો. જ્યારે કંપનીએ તેનો સંપર્ક કર્યો તો ખબર પડી કે તે ઘરે પણ પાછો ફર્યો નથી. બધાએ શોધખોળ કરી પણ કંઈ મળ્યું નહીં. ત્યારબાદ 25 સપ્ટેમ્બરે ચિનહાટ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભરતના ફોનની કોલ ડિટેઈલ તપાસતાં છેલ્લો કોલ ગજાનનનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન આકાશને પકડ્યો તો તેણે આખી વાત કહી. તેણે જણાવ્યું કે ગજાનને હત્યા કરી હતી અને તેની મદદથી તેણે લાશને ઈન્દિરા કેનાલમાં ફેંકી દીધી હતી. ગજાનનની શોધમાં પોલીસની ચાર ટીમો બનાવવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement