રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કલ્યાણપુરમાં શ્રમિક સગર્ભાનું મોત

11:55 AM Aug 23, 2024 IST | admin
Advertisement

ખંભાળિયાના વિરમદળ ગામે મહિલાનો એસિડ પી આપઘાત

Advertisement

મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે રહી અને એક આસામીની વાડીમાં મજૂરી કામ કરતા ક્ષાનસિંહ બાવલીયાભાઈ દેહડીયા નામના 32 વર્ષના શ્રમિક યુવાનની 24 વર્ષની ધર્મપત્ની સંગીતાબેન સગર્ભા હોય અને તેણીને ગત તા.20મીના રોજ પ્રસુતિની પીડા ઉપાડતા ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અહીં સારવાર દરમિયાન તેણીના ગર્ભાશયનું પાણી લોહીમાં ભળી જતા સંગીતાબેનના પેટમાં રહેલા નવજાત શિશુ તથા સંગીતાબેનના મૃત્યુ નીપજ્યા હતા.

આ અંગેની જાણ મૃતકના પતિ ક્ષાનસિંહ દેહડીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
બીજા બનાવમાં ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામે રહેતા ધાનીબેન મેરૂૂભાઈ ડાંગર નામના 52 વર્ષના મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે અસ્વસ્થ હોય, અને તેમની દવા પણ ચાલુ હતી.

પરંતુ આ દવા પીવાથી કંટાળીને તેમણે આજથી આશરે દોઢેક માસ પહેલા પોતાના ઘરે એસિડ પી લીધું હતું. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર અજયભાઈ ડાંગરે અહીંની પોલીસને કરી છે.

Tags :
deathindiaindia newsKalyanpur
Advertisement
Next Article
Advertisement