For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતમાં 6.3 કરોડ લોકોમાં બહેરાશ : સમયસર નિદાનથી બચી શકાય છે

04:46 PM Mar 03, 2025 IST | Bhumika
ભારતમાં 6 3 કરોડ લોકોમાં બહેરાશ   સમયસર નિદાનથી બચી શકાય છે

આજે વિશ્ર્વ શ્રવણ શક્તિદિવસ નિમિત્તે જાણો ડો. હિમાંશુ ઠક્કરનો એકસપર્ટ ઓપિનિયન

Advertisement

2007 થી 3 માર્ચ વિશ્વ શ્રવણ દિવસ તરીકે ઉજવાય છે જેનો મુખ્ય હેતુ જન જાગૃતિ અભિયાન અંતર્ગત કાન અને શ્રવણ શક્તિ ની સંભાળ અને કઈ રીતે બહેરાશ અટકાવી શકાય તે હોય છે. WHO ના અંદાજ પ્રમાણે ભારત મા 63 મિલિયન લોકો બહેરાશ ની સમસ્યા થી પરેશાન છે.એક અંદાજ પ્રમાણે વિશ્વ મા 1.5 બિલિયન લોકો બહેરાશ ની સમસ્યા થી પીડાય છે એટલે કે વિશ્વ ની આશરે 20% વસ્તી ને ઓછું સાંભળવા ની સમસ્યા છે મિલિયન લોકો 2050 સુધીમાં બહેરાશ ની 700 મિલિયન લોકો એટલે કે દર 10 વ્યક્તિ એ એક વ્યક્તિ આ સમસ્યા થી પ્રભાવિત થઈ શકે છે.દુનિયામાં .બહેરાશ નું મુખ્ય કારણ ધ્વનિ પ્રદૂષણ એટલે ઘોંઘાટ છે.

Advertisement

આજના યુગ માં નાની ઉંમર પણ બહેરાશ નું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે જેનું કારણ મોબાઇલ નો વધારે સમય માટે ઉપયોગ ખુબજ ઊંચા અવાજ માં મ્યુઝિક અને ગીતો સાંભળવા ટ્રાફિક અને ડી જે નો અવાજ જેનેnoise induced hearing loss કેવાય છે.જે કોઈ પણ વ્યક્તિ ના કાન ને ખુબજ નુકશાન કરે છે.અંત:કણ મા અવેલા હેર સેલ્સ એટલા નાજુક હોય છે કે તે એકવાર ડેમેજ થાય તો ફરી પાછા રીપેર થતા નથી અને કાયમી બહેરાશ નું કારણ બની શકે છે. ઉપરાંત કાન ના રોગો જેવાકે કાન માંથી આવતા રસી ની અવગણના,નાની ઉંમરે થતી કાયમી શરદી ની અવગણ ના અને નાના બાળકો માં પણ કાન માંથી આવતી રસી ,જન્મ વખતે કમળો,અધૂરા મહિને જન્મેલા બાળકો, સંભાળ નો અભાવ કાયમી શરદી , ઓરી, અછબડા , વાયરસ નો ચેપ, અધૂરા મહિને જન્મેલા બાળકો,જન્મ બાદ કમળો, આંચકી, માતા ના ગર્ભમાં રહેલા બાળક ને ઇન્ફેક્શન વી બહેરાશ માટે કારણભૂત હોય છે. બહેરાશ ત્રણ પ્રકાર ની હોય છે conductive એટલે કાન ની હાડકી ની બહેરાશ sensory neural એટલે નસ ની બહેરાશ અને મિક્સ મયફરક્ષયતત એટલે બન્ને પ્રકાર ની બહેરાશ.

મોટી ઉંમરે નસ ની બહેરાશ થતી હોય છે. કોઈ કોઈ દવાઓ પણ બહેરાશ નોત્રી શકે છે . જો બહેરાશ ના ચિન્હો લાગે તો ઇ એન ટી સર્જન પાસે ચેક અપ કારાવું જોઈ ઍ અને ઔડીયોમેટ્રિ તપાસ કરવી જોઈએ. તો આજ ના દિવસે ડો હિમાંશુ ઠક્કર ઇ એન ટી સર્જન કે જેઓ 23 વર્ષ થી પણ વધારે સમય થી રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓ ખાસ સંદેશ આપે છે કે કુદરતે આપેલી મહામૂલી શ્રવણશક્તિ ની સંભાળ રાખવી જોઈ એ અને જો બહેરાશ લાગે તો તેનું સમય સર નિદાન અને સારવાર કરાવવી જોઇએ હોસ્પિટલ નું સરનામું ડો ઠક્કર ની દાત તથા કાન નાક ગળા ની હોસ્પિટલ 202 લાઈફ લાઈન બિલ્ડિંગ વિદ્યાનગર રોડ રાજકોટ .

બહેરાશ કઇ રીતે અટકાવી શકાય ?

બાળકો મા Screening test સમય સર રસીકરણ, માતા અને નવજાત શિશુ ની સંભાળ, નિદાન બાદ ત્વરિત સારવાર, કાન ની માવજત અને ચોખાઈ,મોટા અવાજ થી બચવું, નવજાત શિશુ ની OAE તપાસ કરી ખૂબ જ વહેલું નિદાન કરી શકાય છે. જો કાન ના પડદા મા કાણા હોય તો ઓપરેશન કરી બહેરાશ નિવારી શકાય છે. મોબાઇલ અને બીજા મ્યુઝિક device માં સાઉન્ડ settings માં એ warning આવે છે કે અવાજ કાન ને નુકશાન કરી શકે છે. 70 DBડેસિબલ થી વધારે અવાજ લાંબો સમય સુધી સાંભળવા થી બહેરાશ આવી શકે છે. મોટે થી મ્યુઝિક ના સાંભળવું જોઇએ . Cef પ્લગ,અને ઈયર મફ પહેરવાથી મોટા અવાજ થી બચી શકાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement