For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેજરીવાલના રિમાન્ડ પર કોર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત, EDએ કોર્ટ સમક્ષ શું દલીલ કરી?

06:34 PM Mar 22, 2024 IST | Bhumika
કેજરીવાલના રિમાન્ડ પર કોર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત  edએ કોર્ટ સમક્ષ શું દલીલ કરી

Advertisement

આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ના કથિત કૌભાંડમાં ગુરુવારે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આજે અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. EDએ કેજરીવાલની ધરપકડના કારણોને સમજાવતા કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી હતી. EDના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું કે આરોપી (કેજરીવાલ)ની ગુરુવારે રાત્રે 9.05 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. તેમને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જ્યારે કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે

EDએ કહ્યું કે, રોકડ બે વખત ટ્રાન્સફર કરવામાં આવી હતી. દારૂ કૌભાંડનો આરોપી વિજય નાયર કેજરીવાલ માટે કામ કરતો હતો. નાયર ખરેખર કેજરીવાલના ઘરની નજીક રહેતો હતો. તેઓ કેજરીવાલની નજીક હતા. તે ખરેખર વચેટિયા તરીકે કામ કરતો હતો. કેજરીવાલે દક્ષિણ લોબી પાસેથી લાંચ માંગી હતી. અમારી પાસે તેમની સામે લાંચ માંગવાના મજબૂત પુરાવા છે. EDએ કોર્ટને જણાવ્યું કે, દારૂ કૌભાંડની આરોપી કવિતાનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. નોંધાયેલા નિવેદનો અનુસાર કેજરીવાલ કવિતાને મળ્યા અને તેમને કહ્યું કે, તેઓએ દિલ્હીની દારૂની નીતિ પર સાથે મળીને કામ કરવું જોઈએ.

Advertisement

EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, કેજરીવાલે લાભ આપવાના બદલામાં સાઉથ ગ્રુપ પાસેથી લાંચ માંગી હતી. એએસજીએ પોતાની દલીલને મજબૂત કરવા માટે કેટલાક નિવેદનો પણ ટાંક્યા. ASGએ કહ્યું કે લાંચના બદલામાં સાઉથ ગ્રુપને દિલ્હીમાં દારૂના ધંધા પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું. ASGએ કહ્યું, 'હું અપરાધની પ્રક્રિયામાં તેમની ભૂમિકા સમજાવીશ. આ ગુનામાં માત્ર લાંચ તરીકે મળેલા 100 કરોડ રૂપિયા જ નહીં, પરંતુ લાંચ આપનારાઓને મળેલા લાભો પણ સામેલ છે. જે 600 કરોડથી વધુ હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે,તમામ વિક્રેતાઓને અમુક અંશે રોકડમાં ચૂકવણી કરવામાં આવી હતી. એએસજીએ કોર્ટ સમક્ષ કેટલીક ચેટ પણ રજૂ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement