રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોરોનાના નવા સબ વેરિઅન્ટ JN.1થી ફફડાટ, દેશભરમાં 21 કેસ , છેલ્લા બે અઠવાડિયામાં 16ના મોત

05:58 PM Dec 20, 2023 IST | Bhumika
Advertisement

દેશમાં કોરોનાના નવા કેસોએ ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1ના અત્યાર સુધીમાં 21 કેસની પુષ્ટિ થઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે JN.1ના નવા કેસમાંથી 19 કેસ ગોવામાં નોંધાયા છે જ્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ નોંધાયો છે.

Advertisement

નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વીકે પૉલે જણાવ્યું હતું કે મંગળવારે (19 ડિસેમ્બર) કોરોનાના 500 કેસ નોંધાયા હતા. છેલ્લા બે સપ્તાહમાં કોવિડને કારણે 16 લોકોના મોત થયા છે. આ લોકોને પહેલાથી જ ઘણી ગંભીર બીમારીઓ હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "દેશમાં કોરોનાના 2300 સક્રિય કેસમાંથી, સબ-વેરિયન્ટ JN.1 ના 21 કેસ છે." સબ-વેરિયન્ટ JN.1નો પહેલો કેસ ઓગસ્ટ મહિનામાં લક્ઝમબર્ગમાં આવ્યો હતો. ધીરે ધીરે તે 36 થી 40 દેશોમાં ફેલાઈ ગયો. ગભરાવાની જરૂર નથી અને આપણે ફક્ત સાવચેત રહેવાની જરૂર છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા?

છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 292, તમિલનાડુમાં 13, મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 9, તેલંગાણા અને પુડુચેરીમાં 4 કેસ નોંધાયા છે. દિલ્હી અને ગુજરાતમાં 3 અને પંજાબ અને ગોવામાં 1 કેસ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ બેઠક યોજી હતી

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે (20 ડિસેમ્બર) સમગ્ર દેશમાં આરોગ્ય સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા કરી અને કોરોના વાયરસના ઉભરતા સ્વરૂપો વિશે સાવચેત રહેવા પર ભાર મૂક્યો. માંડવિયાએ જણાવ્યું કે તેમણે આ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ શું કહ્યું?

તમને જણાવી દઈએ કે મંગળવારે (19 ડિસેમ્બર) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોના વાયરસના 'JN.1' સબ-વેરિઅન્ટને 'વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ' જાહેર કર્યું હતું. એમ પણ કહ્યું કે આનાથી વૈશ્વિક જાહેર આરોગ્ય માટે બહુ ખતરો નથી.

 

Tags :
coronacorona caseCorona new sub-variant JN.1coronavirusCOVID 19Healthhealth newsindiaindia news
Advertisement
Next Article
Advertisement