For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તમિલનાડુમાં બે બસો વચ્ચે ટક્કર, 11 લોકોનાં મોત, 40 લોકો ઘવાયા

11:14 AM Dec 01, 2025 IST | Bhumika
તમિલનાડુમાં બે બસો વચ્ચે ટક્કર  11 લોકોનાં મોત  40 લોકો ઘવાયા

ગઇકાલે તમિલનાડુના શિવગંગા જિલ્લાના તિરુપથુર નજીક બે સરકારી બસો સામસામે અથડાયા બાદ ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને લગભગ 40 ઘાયલ થયા છે. પહેલાના અંદાજ મુજબ મૃત્યુઆંક સાત હોવાનું જણાવાયું હતું, પરંતુ બચાવ કામગીરી પૂર્ણ થયા પછી અધિકારીઓએ આ આંકડો વધાર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે એક બસ કરાઈકુડી તરફ જઈ રહી હતી અને બીજી મદુરાઈ તરફ જઈ રહી હતી ત્યારે તિરુપથુર નજીક હાઇવે પર અકસ્માત થયો હતો. ટક્કરથી બંને બસોના આગળના ભાગ કચડી ગયા હતા, જેમાં ઘણા મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. સ્થાનિક રહેવાસીઓ અને કટોકટી ટીમોએ બચી ગયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તેમને શિવગંગાઈ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 20 થી વધુ ઘાયલ મુસાફરો હાલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.

Advertisement

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને પર થયેલી દુર્ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે 11 લોકોના મોત થયા છે તે જાણીને તેમને ‘ખૂબ જ આઘાત અને દુ:ખ’ થયું છે. ‘મેં તાત્કાલિક જિલ્લા કલેક્ટર અને જિલ્લા પ્રભારી મંત્રી થિરુ કે આર પેરિયાકરુપ્પનનો સંપર્ક કર્યો, તેમને અકસ્માત સ્થળે દોડી જવા અને અસરગ્રસ્તોને યોગ્ય ઉચ્ચ ગુણવત્તાની તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement