For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

JNUમાં રાવણદહન મુદ્દે છાત્ર જુથો વચ્ચ અથડામણ

05:53 PM Oct 03, 2025 IST | Bhumika
jnuમાં રાવણદહન મુદ્દે છાત્ર જુથો વચ્ચ અથડામણ

JNUમાં દુર્ગા પૂજા શોભાયાત્રા અને રાવણ દહનને લઈને ABVP અને ડાબેરી જૂથો વચ્ચે અથડામણ થઈ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP ) એ ગુરુવારે આરોપ લગાવ્યો કે ડાબેરી વિદ્યાર્થી જૂથોએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં દુર્ગા મૂર્તિ વિસર્જન શોભાયાત્રા પર હુમલો કર્યો.

Advertisement

દરમિયાન, ડાબેરી સંગઠનોએ ABVP પર રાવણ દહન કાર્યક્રમ દ્વારા રાજકીય પ્રચાર માટે ધર્મનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. JNU વહીવટીતંત્ર તરફથી આ મુદ્દે કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ABVP એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે AISA, SFI અને DSF સહિતના ડાબેરી જૂથોએ સાંજે 7 વાગ્યે સાબરમતી ટી-પોઇન્ટ નજીક વિસર્જન શોભાયાત્રા પર હુમલો કર્યો હતો. ABVP એ દાવો કર્યો હતો કે પથ્થરમારો અને હિંસામાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ABVP JNU ના પ્રમુખ મયંક પંચાલે કહ્યું, આ ફક્ત ધાર્મિક કાર્યક્રમ પર હુમલો નથી, પરંતુ યુનિવર્સિટીની ઉત્સવની પરંપરાઓ અને વિદ્યાર્થીઓની શ્રદ્ધા પર સીધો હુમલો છે. ABVP કોઈપણ કિંમતે આવા આક્રમણને સહન કરશે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement