રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકવાદીઓ ઠાર

03:01 PM Jul 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કુપવાડામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર ઉત્તર કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટર પાસે એલઓસી પાસે થયું હતું.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા કલાકોથી જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ પહેલા આજે એવી માહિતી મળી હતી કે ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો.

Tags :
indiaindia newsindian armyJammu and KashmirJammu and Kashmir newsterrorists
Advertisement
Next Article
Advertisement