For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોડ અકસ્માતો માટે સિવિલ ઇજનેરો જવાબદાર: ગડકરી

11:05 AM Mar 07, 2025 IST | Bhumika
રોડ અકસ્માતો માટે સિવિલ ઇજનેરો જવાબદાર  ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અવારનવાર પોતાના બેખોફ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે રોડ એક્સિડન્ટને લઈને કડક ટિપ્પણી કરી છે. તેમણે પહેલા માર્ગ અકસ્માતો અને જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગો અથવા રસ્તાઓ બનાવતા સિવિલ એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોને દોષી ઠેરવ્યા જેઓ તેમનું કામ યોગ્ય રીતે કરતા નથી. નીતિન ગડકરીએ રોડ અકસ્માતો માટે સિવિલ એન્જિનિયરોની વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટની ભૂલોની ટીકા કરી હતી.

Advertisement

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, આ અમારા માટે સારું નથી કે ભારતમાં અમે માર્ગ અકસ્માતને લગતી ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. દર વર્ષે આપણી પાસે 4 લાખ 80 હજાર માર્ગ અકસ્માતો અને 1 લાખ 80 હજાર મૃત્યુ થાય છે, જે કદાચ વિશ્વમાં સૌથી વધુ છે. આ મૃત્યુમાંથી, 66.4% 18 થી 45 વર્ષની વય જૂથના લોકો છે અને તેના કારણે જીડીપીને નુકસાન થાય છે. તેના કારણે જીડીપીમાં અંદાજિત ત્રણ ટકાનું નુકસાન થાય છે. નીતિન ગડકરીએ રોડ અકસ્માતો માટે સિવિલ એન્જિનિયરોની વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટની ભૂલોની ટીકા કરી
તેમણે કહ્યું કે ડોકટરો, એન્જીનીયરો અને સૌથી અગત્યનું, પ્રતિભાશાળી યુવાનોની ખોટ ખરેખર આપણા દેશ માટે મોટી ખોટ છે. આ તમામ અકસ્માતોના સૌથી મહત્વના ગુનેગારો સિવિલ એન્જિનિયરો છે. હું દરેકને દોષ નથી આપતો, પરંતુ 10 વર્ષના અનુભવ પછી હું આ નિષ્કર્ષ પર આવ્યો છું. સૌથી મહત્વપૂર્ણ ગુનેગારો તે છે જેઓ ડીપીઆર (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) બનાવી રહ્યા છે અને તેમાં હજારો ભૂલો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement