ભારતના પ્રથમ દલિત ક્રિકેટરની સ્ટોરી પર ફિલ્મ બનાવશે દેવગન
01:05 PM Mar 27, 2024 IST
|
Bhumika
Advertisement
- અજય દેવગન ઉપરાંત તિગ્માંશુ ધુલિયા, પ્રિતિવિનય સામેલ
ભારતના પહેલા દલિત ક્રિકેટરની લાઇફ પરથી અજય દેવગન હવે ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. પાલવણકર બાલુ એક એવું નામ છે જે ફક્ત ઇન્ડિયન ક્રિકેટના ખૂબ જ રસિયાઓ કહો કે ક્રિકેટ ટીમ સાથે વર્ષોથી સંકળાયેલા લોકોને જ તેમના વિશે ખબર હશે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ 2002માં તેમની બુક અ કોર્નર ઑફ અ ફોરેન ફીલ્ડ : ધ ઇન્ડિયન હિસ્ટરી ઑફ બ્રિટિશ સ્પોર્ટમાં પાલવણકર બાલુ વિશે વાત કરી છે. આ બુક પરથી પ્રેરિત થઈને પ્રોડ્યુસર્સ અજય દેવગન, તિગ્માંશુ ધુલિયા અને પ્રીતિ વિનય સિંહા ફિલ્મ બનાવી રહ્યાં છે. પુણેમાં ગ્રાઉન્ડ્સમેન તરીકે કામ કરનાર પાલવણકર બાલુ 1896માં બોમ્બે શિફ્ટ થયા હતા. તેઓ હિન્દુ જિમખાના માટે રમવા સિલેક્ટ થયા હતા. 1911ની ઇન્ડિયાની ઇંગ્લેન્ડ ટૂર માટે લેફ્ટ-આર્મ સ્પિનર પાલવણકરને પસંદ કરવામાં આવ્યા હતા અને તેમણે 23 મેચમાં 114 વિકેટ લીધી હતી.
Advertisement