For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઈ હાઈવે નજીક બસ-ટ્રેક્ટરની ટક્કર, 5નાં મોત, 42 ઘાયલ

11:27 AM Jul 16, 2024 IST | Bhumika
મુંબઈ હાઈવે નજીક બસ ટ્રેક્ટરની ટક્કર  5નાં મોત  42 ઘાયલ
Advertisement

ભોગ બનનારા પંઢરપુર દર્શને જતા હતા

મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાસે બસ અને ટ્રેક્ટરની ટક્કર થઈ હતી. ટક્કર બાદ બસ ખાડામાં પડતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં 40થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને નજીકની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત અંગે નવી મુંબઈના ડીસીપી વિવેક પાનસરેએ જણાવ્યું કે, લોકો અષાઢી એકાદશીના અવસર પર ખાનગી બસમાં પંઢરપુર જઈ રહ્યા હતા.

Advertisement

બસ ટ્રેક્ટર સાથે અથડાઈને ખાડામાં પડી હતી. 42 લોકો ઘાયલ થયા છે, જેમને એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોએ 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે. અગાઉ ડીસીપી પંકજ દહાણેએ જણાવ્યું હતું કે અકસ્માત નવી મુંબઈ પોલીસના અધિકારક્ષેત્રમાં થયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ડોમ્બિવલીના કેસર ગામથી પંઢરપુર જઈ રહી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement