યુપીમાં ટેન્કર સાથે ટકરાયા બાદ બસ પલટી: પાંચનાં મોત
લખનઉના કાકોરીમાં એક ભયાનક રોડ અકસ્માતની ઘટના બની છે. એક રોડવેઝ બસ નિયંત્રણ બહાર નીકળી ગઈ અને 50 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા અને 10 થી વધુ લોકો ઘાયલ થયા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને ઘટનાસ્થળે જઈને રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો. ગુરુવારે સાંજે કૈસરબાગ બસ સ્ટેન્ડથી લગભગ 54 મુસાફરોને લઈને એક બસ હરદોઈ જવા નીકળી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ ખૂબ જ ઝડપે ચાલી રહી હતી. કાકોરીના ગોલાકુઆન નજીક બસ એક ટેન્કર સાથ ેઅથડાઈ હતી. આ કારણે, ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો.
બસ પહેલા રસ્તાની બાજુમાં ઉભેલા લોકોને ટક્કર મારી અને પછી 20 ફૂટ ઊંડી ખાઈમાં પલટી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ કાકોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્ય શરૂૂ કર્યું.
હરદોઈથી આવી રહેલી બસ ગુરુવારે સાંજે કૈસરબાગ બસ સ્ટેન્ડથી લખનઉ તરફ રવાના થઈ હતી. બસમાં લગભગ 54 મુસાફરો હતા. કાકોરીના ટિકૈતગંજ નજીક તે ટેન્કર સાથે અથડાઈ હતી. આ પછી, બસ રસ્તાની બાજુમાં 50 ફૂટ ઊંડા ખાડામાં પલટી ગઈ. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એવી શક્યતા હતી કે ઘણા લોકો બસની અંદર ફસાયા હશે.