For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી આચારસંહિતા પહેલાં પ્રોજેક્ટોને ધડાધડ મંજૂરી

11:37 AM Mar 16, 2024 IST | Bhumika
ચૂંટણી આચારસંહિતા પહેલાં પ્રોજેક્ટોને ધડાધડ મંજૂરી
  • ગડકરીએ ગુજરાત, આસામ, કર્ણાટકના 1700 કરોડના ત્રણ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી: આસામના 10 નવા જળમાર્ગ પણ ક્લિઅર

ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ સાથે દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે, જ્યારે આચારસંહિતા લાગુ થાય છે, ત્યારે કોઈપણ વિભાગ કોઈ નવા પ્રોજેક્ટને મંજૂરી આપતું નથી. જો કંઈક જરૂૂરી હોય તો ચૂંટણી પંચની પરવાનગી મળ્યા બાદ તેને લીલી ઝંડી આપવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, ગઈકાલે રાત્રે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ઘણા વિભાગોએ ઝડપી નિર્ણયો લીધા અને કરોડોના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી.

Advertisement

અહેવાલ મુજબ, શુક્રવારે મોડી રાત સુધી નીતિન ગડકરીના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય અને ગઇંઅઈં હેઠળના વિભાગોમાં કામ ચાલુ હતું. આ સમયગાળા દરમિયાન મંત્રી ગડકરીએ 1700 કરોડ રૂૂપિયાના ત્રણ હાઇવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ હાઈવે પ્રોજેક્ટ ગુજરાત, આસામ અને કર્ણાટક માટે છે. આ સિવાય ઉજ્જૈન રેલવે સ્ટેશનથી મધ્યપ્રદેશના મહાકાલેશ્વર મંદિર સુધી 189 કરોડ રૂૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર રોપ-વેને પણ મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આદર્શ આચાર સંહિતા લાગુ થતાં પહેલાં અમારે નિર્ધારિત લક્ષ્યાંકો પૂરા કરવાના હતા, તેથી યોજનાઓને તાત્કાલિક મંજૂરી આપવામાં આવી હતી.

ગડકરી ઉપરાંત, કેન્દ્રીય શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલે પણ આસામની બ્રહ્મપુત્રા નદી પર 645 કરોડ રૂૂપિયાના 10 નવા જળમાર્ગોને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકારના સાગરમાલા કાર્યક્રમ હેઠળ કેન્દ્ર તરફથી 100 ટકા ભંડોળ મળશે. તેવી જ રીતે આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે રૂા.925 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

Advertisement

આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના સચિવ અનુરાગ જૈને સ્વચ્છ ભારત મિશન હેઠળ સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આદર્શ આચાર સંહિતાના અમલ પહેલા, સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે તે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 300 રૂપિયા પ્રતિ ટન વધારીને 4,900 રૂપિયા પ્રતિ ટન કરશે. નવા દરો શનિવારથી લાગુ થશે. 1 માર્ચે, સરકારે પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ 3,300 રૂપિયાથી વધારીને 4,600 રૂૂપિયા પ્રતિ ટન કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement