ભાજપ બંધારણ બદલવા માગે છે: હેગડેના નિવેદનથી ઉહાપોહ બાદ પક્ષે હાથ ખંખેર્યા
- કર્ણાટકના સાંસદનું નિવેદન વ્યક્તિગત છે, તેમનો ખુલાસો મગાયો છે: ભાજપની સફાઇ
ભારતીય જનતા પાર્ટીએ ગઇકાલે પોતાના કર્ણાટકના સાંસદ અનંત કુમાર હેગડેના વિવાદાસ્પદ નિવેદનથી પોતાને દૂર રાખી, જેમાં તેમણે ભારતના બંધારણમાં સુધારો કરવા વિશે કહ્યું હતું. પાર્ટીએ સાંસદના નિવેદનથી પોતાને દૂર રાખી છે અને તેને તેમની અંગત ટિપ્પણી ગણાવી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે બંધારણ અંગે હેગડેના વિચારો તેમના અંગત છે, જેના પર પાર્ટીએ સાંસદ પાસેથી જવાબ પણ માંગ્યો છે.ભાજપ પ્રવકતાએ જણાવ્યું હતું કે સમાચાર એજન્સી અગઈં અનુસાર, કર્ણાટકના સાંસદ અનંત કુમાર હેગડેનું નિવેદન તેમના અંગત વિચારો દર્શાવે છે. આ એવું નિવેદન નથી જે ભાજપના વિચારોને પ્રતિબિંબિત કરે. પાર્ટીએ હેગડેના નિવેદનની નોંધ લીધી છે અને તેમની પાસેથી સ્પષ્ટતા પણ માંગી છે.
ગૌરવ ભાટિયાએ એમ પણ કહ્યું કે ભાજપ દ્વારા લેવામાં આવેલ દરેક પગલું અને તેના દ્વારા લેવામાં આવેલ દરેક નિર્ણય હંમેશા દેશના હિતમાં અને બંધારણની ભાવના અનુસાર છે. ભાજપના કર્ણાટક એકમે પણ સાંસદના નિવેદનથી પોતાને દૂર રાખ્યા અને કહ્યું કે પક્ષ હંમેશા બંધારણને જાળવી રાખવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.વાસ્તવમાં, એમપી હેગડેએ કહ્યું હતું કે ભાજપ પબંધારણમાં સુધારોથ કરવા માટે, લોકસભા અને રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતી મેળવવાની સાથે 20 થી વધુ રાજ્યોમાં સત્તામાં આવે તે જરૂૂરી છે.