For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ-જેડીયુએ તમામ ઉમેદવાર જાહેર કર્યા, મહાગઠબંધનમાં મોકાણ

06:19 PM Oct 16, 2025 IST | Bhumika
ભાજપ જેડીયુએ તમામ ઉમેદવાર જાહેર કર્યા  મહાગઠબંધનમાં મોકાણ

એનડીએના બે મુખ્ય ભાગીદાર પક્ષોને ભાગે 101-101 બેઠકો આવી છે: સીટ-શેરિંગ ફોર્મ્યુલા વગર આરજેડીએ બિનસતાવાર રીતે 45 અને કોંગ્રેસે 12 ઉમેદવારોને ટિકીટ આપી

Advertisement

બિહાર વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનું ચાલુ છે ત્યારે એનડીએના બે મુખ્ય ભાગીદાર પક્ષો ભાજપ અને જનતાદળ-યુએ તેના ભાગે આવેલી 101-101 બેઠકો પર તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજી તરફ મહાગઠબંધનમાં સીટ-સેરીંગ ફોર્મ્યુલા જાહેર થઇ નથી પણ ઘટક પક્ષોએ તેમના કેટલાક ઉમેદવારો જાહેર કર્યા છે.

એનડીએના સહયોગી જનતા દળ યુનાઇટેડ (JDU) એ પણ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. તેમા કુલ 44 ઉમેદવારોનો સમાવેશ થાય છે. JDU એ અગાઉ 57 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમ, ગઉઅ નો ભાગ JDU એ તેના ક્વોટાની તમામ 101 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ આવતીકાલે, 17 ઓક્ટોબર છે.

Advertisement

ભારતીય જનતા પાર્ટીએ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જેમાં રાઘોપુર મતવિસ્તારથી RJD નેતા તેજસ્વી યાદવ સામે સતીશ કુમાર યાદવને મેદાનમાં ઉતાર્યા. પક્ષે અગાઉ 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી.

યાદી મુજબ, લોક ગાયિકા મૈથિલી ઠાકુર દરભંગા જિલ્લાના અલીનગરથી ચૂંટણી લડશે, જ્યારે ભૂતપૂર્વ IPS અધિકારી આનંદ મિશ્રા, જેમણે અગાઉ પ્રશાંત કિશોરના જન સુરાજમાં યુવા પાંખના પ્રમુખ તરીકે સેવા આપી હતી, તેઓ બક્સરથી ચૂંટણી લડશે.

બીજી તરફ, મહાગઠબંધનમાં લાલુ અને તેજસ્વી યાદવના રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ અત્યાર સુધીમાં બિહાર ચૂંટણી માટે 45 ઉમેદવારોને પ્રતીકો ફાળવ્યા છે. 35 ઉમેદવારોની પ્રારંભિક યાદી બાદ, બુધવારે સાંજે 10 વધુ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. તેજસ્વી યાદવે રાઘોપુર બેઠક પરથી પોતાનું નામાંકન ભરી પણ દીધું છે.

કોંગ્રેસે પણ ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂૂ કરી દીધું છે. રાહુલ ગાંધીની પાર્ટીએ કુટુમ્બાના પ્રદેશ પ્રમુખ રાજેશ રામ સહિત 22 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસ સોશિયલ મીડિયા પર એક પછી એક ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે.

બુરખાની શરારત: બિહાર ચુંટણીમાં એન્ટ્રી સાથે યોગી ફુલ ફોર્મમાં
યુપીના સીએમ યોગી આદિત્યનાથે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આરજેડીને આડેહાથ લીધા છે. સીએમ યોગીએ કહ્યું કે આરજેડી અને કોંગ્રેસે ફરી એકવાર બિહારના વિકાસને રોકવા માટે તોફાન શરૂૂ કર્યું છે. વિકાસ વિરુદ્ધ બુરખાનો આ તોફાન શરૂૂ થયો છે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે બિહાર વિકાસની વાત કરી રહ્યું છે. જ્યારે બિહારના યુવાનો વિકાસની વાત કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને આરજેડીએ બુરખા અંગે નવી ચર્ચા શરૂૂ કરી છે. મને કહો, શું તેમને નકલી મતદાન કરવાનો અધિકાર આપવો જોઈએ? શું વિદેશી ઘુસણખોરોને બિહારમાં આવીને તેના નાગરિકોના અધિકારો છીનવી લેવાની મંજૂરી આપવી જોઈએ? આરજેડી અને કોંગ્રેસ નકલી મતદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement