ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર: જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે, જેમાં તમિલનાડુની 9 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આમાં કેન્દ્રીય મંત્રી એલ મુરુગનનું નામ પણ સામેલ છે, જેઓ નીલગીરીથી ચૂંટણી લડશે. હાલમાં એ રાજા અહીંથી સાંસદ છે. આ પછી બીજેપીએ એ અન્નામલાઈને કોઈમ્બતુરથી બીજેપી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. તેલંગાણાના પૂર્વ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજનનું નામ પણ આ યાદીમાં છે, જેમને દક્ષિણ ચેન્નાઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની ત્રીજી યાદીમાં ચેન્નાઈ સેન્ટ્રલથી વિનોજ પી સેલ્વમ, વેલ્લોરથી એસી શમ્મુગમ, કૃષ્ણાગિરીથી સી નરસિમ્હા, પેરંબલુરથી ટીઆર પરિવેન્દ્ર, થુથુકુડીથી નેનાર નાગેન્દ્રન અને કન્યાકુમારીથી પોન રાધાકૃષ્ણનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આ નામ ત્રીજી યાદીમાં છે
ચેન્નાઈ સેન્ટ્રલ - તમિલિસાઈ સૌંદરરાજન
નીલગીરી - એલ મુરુગન
કોઈમ્બતુર - અન્નામલાઈ
ચેન્નાઈ સેન્ટ્રલ - વિનોજ પી સેલ્વમ
વેલ્લોર- એસી શમ્મુગમ
કૃષ્ણગિરી- સી નરસિંહ
પેરામ્બલુર - ટી આર પરિવેન્દ્ર
થૂથુકુડી - નેનાર નાગેન્દ્રન
કન્યાકુમારી- પોન રાધાકૃષ્ણન
ભાજપે 276 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે
ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી લોકસભા ચૂંટણી માટે 276 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, એવું માનવામાં આવે છે કે પાર્ટી ટૂંક સમયમાં બાકીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી શકે છે. વાસ્તવમાં, ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌથી પહેલા 195 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ પછી પાર્ટી દ્વારા 72 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી. હવે પાર્ટીએ ત્રીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.