For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉત્તરપ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના: શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર તળાવમાં ગરકાવ,15 થી વધુ લોકોના મોત

01:19 PM Feb 24, 2024 IST | Bhumika
ઉત્તરપ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના  શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર તળાવમાં ગરકાવ 15 થી વધુ લોકોના મોત

ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 15 થી વધુ લોકોના મોત થયાં છે. પટિયાલી દરિયાવગંજ માર્ગ નજીક આજે સવારે આશરે 10 વાગ્યે ટ્રેક્ટર બેકાબૂ થઇ ગયું હતું અને તે તળાવમાં ગરકાવ થયું હતું. ટ્રોલીમાં સવાર સાત બાળકો અને આઠ મહિલા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામી ચૂકી છે ટ્રેક્ટર ટ્રોલીમાં ત્રણ ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ કાદરગંજ ઘાટ પર ગંગા સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. ટ્રેક્ટરની ટ્રોલી અચાનક પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ડીએમ અને એસપી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

Advertisement

પોલીસ ટીમ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને જિલ્લાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા. અકસ્માત સ્થળેથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દુર્ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં જ ચીસો સંભળાઈ હતી. ટ્રોલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો મુસાફરી કરી રહ્યા હતા.

Advertisement

સ્થાનિક લોકોએ જણાવ્યું કે મૃતકોમાં 8 મહિલાઓ અને 7 બાળકોનો સમાવેશ થાય છે. ઘાયલોને પહેલા જિલ્લાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક ભક્તોની ગંભીર હાલત જોઈને તેમને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘટના બાદ પીડિતાના પરિવારજનોની હાલત ખરાબ છે, તેઓ સતત રડી રહ્યા છે.

સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાસગંજ રોડ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી અને રાજ્ય મંત્રી અનુપ પ્રધાન વાલ્મિકીને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરી ઝડપી બનાવવા જણાવ્યું છે. તેમજ ઘાયલોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

કાસગંજ ડીએમ સુધા વર્માએ જણાવ્યું કે ટ્રેક્ટર ટ્રોલીમાં 30 લોકો મુસાફરી કરી રહ્યા હતા. 15 લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. તળાવના દલદલમાં હજુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. તેથી હાલમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમણે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement