For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શ્રાવણ માસના સોમવારે બિહારમાં મોટી દુર્ઘટના, જહાનાબાદના સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગથી 8નાં મોત, 35 ઘાયલ

10:25 AM Aug 12, 2024 IST | Bhumika
શ્રાવણ માસના સોમવારે બિહારમાં મોટી દુર્ઘટના  જહાનાબાદના સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગથી 8નાં મોત  35 ઘાયલ
Advertisement

શ્રાવણના ચોથા સોમવારે બિહારના જહાનાબાદમાં ભગવાન શિવના જલાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ મહીલા સહીત આઠ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે 35થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. ઘણા ભક્તોની હાલત નાજુક છે. આ ઘટના જહાનાબાદના મખદુમપુર સ્થિત વણવર બાબા સિદ્ધેશ્વરનાથના મંદિરમાં બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ ભક્તો ભોલેનાથના જલાભિષેક માટે સાવનના ચોથા સોમવારે મંદિરમાં એકઠા થયા હતા. જો કે મંદિરમાં નાસભાગ કેવી રીતે થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જહાનાબાદના એસએચઓ દિવાકર વિશ્વકર્માએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતા જ એસપી અને ડીએમએ પોતે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના જલાભિષેક દરમિયાન બની હતી. આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

અન્ય ઘાયલ લોકોના જણાવ્યા અનુસાર, જો કે આ મંદિરમાં વર્ષના 365 દિવસ ભક્તોની ભીડ રહે છે, પરંતુ સાવન મહિનામાં આ ભીડ વધુ વધી જાય છે. ખાસ કરીને સોમવારે મંદિરમાં જળાભિષેક કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગે છે. આ વખતે પણ સાવનના ચોથા સોમવારે ભોલેનાથના જલાભિષેક માટે રવિવારે રાત્રે 10 વાગ્યાથી જ કતારો લાગી ગઈ હતી. 12.30 પછી લોકો શિવલિંગ તરફ જવા લાગ્યા. દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને આ અકસ્માત થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement