For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આયુર્વેદ: સ્વસ્થ જીવનની ચાવી

12:08 PM Mar 01, 2025 IST | Bhumika
આયુર્વેદ  સ્વસ્થ જીવનની ચાવી

Advertisement

આજની દોડધામ ભરી જીવનશૈલીમાં શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવી એક પડકારરૂૂપ બની ગઈ છે. વધુ પડતા કામનો તણાવ, અનિયમિત આહાર અને ઊંઘની કમી આપણા સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડી શકે છે. આયુર્વેદ એ પ્રાચીન ભારતીય ઉપચાર પદ્ધતિ છે, જે સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવા માટે અમૂલ્ય માર્ગદર્શન આપે છે. આયુર્વેદ એ વૈજ્ઞાનિક અને પ્રાચીન પદ્ધતિ છે, જે સ્વાસ્થ્ય જાળવવા અને રોગો દૂર કરવા માટે કુદરતી ઉપાયો અને જીવનશૈલી પર ભાર મૂકે છે. ચયાપચય, પાચન, ત્વચા, હૃદયરોગ, માનસિક તણાવ, નસોના રોગો વગેરે માટે આયુર્વેદમાં અનેક ઉપાયો છે. આ લેખમાં આયુર્વેદના તમામ મહત્વના પાસાઓને વિસ્તૃત રીતે સમજાવશે.
1. આયુર્વેદની ત્રિદોષ થિયરી

આયુર્વેદ અનુસાર, શરીર ત્રણ પ્રકારના દોષોથી બનેલું છે: વાત, પિત્ત અને કફ. આ ત્રણે દોષ શરીરના દરેક કાર્યને અસર કરે છે.
વાત દોષ
ધબકારા, સંચાર અને ચેતનાને નિયંત્રિત કરે છે.અસંતુલન થાય તો સંધિમાં દુખાવો, મોઢું સૂકાવું, ગેસની તકલીફ અને ઊંઘની મુશ્કેલી થાય.
ઉપાય: ગરમ અને પૌષ્ટિક આહાર, તેલ મસાજ (અભ્યંગ), ગહન નિંદ્રા.
પિત્ત દોષ
પાચન, શરીરનું તાપમાન અને બુદ્ધિને નિયંત્રિત કરે છે.
અસંતુલન થાય તો એસિડિટી, ચીડિયાપણું, વાળ અને ત્વચા સમસ્યાઓ થાય.
ઉપાય: લીલા શાકભાજી, ફળો, પ્રાણાયામ અને શાંત જીવનશૈલી.
કફ દોષ
શરીરની રચના, શક્તિ અને પ્રતિકારક શક્તિને નિયંત્રિત કરે છે.અસંતુલન થાય તો મોટાપો, અવસાદ, અલ્સર અને શરદી-ખાંસી થાય.
ઉપાય: તીખા અને હળવા ખોરાક ના ખાવા, વ્યાયામ અને ગરમ પાણી.

Advertisement

2. આયુર્વેદ અનુસાર દૈનિક આરોગ્ય રૂપરેખા (દિનચર્યા) સવારની શુરૂઆત

- તુલસીના પાન ચાવો રોગપ્રતિકારક શક્તિ વધે.
- ગરમ પાણી પીઓ પાચન તંત્ર સારું થાય.
- જીભ સ્ક્રેપ કરો ટોક્સિન્સ દૂર થાય.
- તેલથી ગળું ગાળવું (ઘશહ ઙીહહશક્ષલ) દાંત અને હૃદય માટે ફાયદાકારક.
શરીર નું માલિશ
અને ધ્યાનયોગ
- હળવી કસરત અથવા યોગ કરો.
- નસોના રક્તસંચાર માટે તેલ મસાજ (અભ્યંગ).
- ભોજન માટે શાકાહારી અને પૌષ્ટિક ખોરાક અપનાવો.
3. આરોગ્ય માટે આયુર્વેદિક ઉપાયો
પાચન માટે:
ભોજન પહેલાં અને પછી જીરું અથવા વરિયાળી ચાવો.
ગેસની તકલીફ માટે: હળદર વાળું ગરમ પાણી પીવો.
હિંગ અને અજમાં ની ફાકી ખાવી
- હૃદય માટે
દરરોજ એલોવેરા અને તુલસીનું રસ પીવું.
અશ્વગંધા અને અરજુંન છાલ હૃદય માટે ઉત્તમ છે.
વધુ તળેલું અને મીઠું ખાવાનું ટાળો.
- ત્વચા અને વાળ માટે
આમળા અને શીકાકાઈ વાળ માટે શ્રેષ્ઠ છે.
રોજ સવારે લીંબુ પાણી પીવાથી ચમકદાર ત્વચા મળે.
ત્વચાની ચમક માટે ચંદન અને ગુલાબજલ વાપરો.

4. આયુર્વેદ અનુસાર ભોજન અને તંદુરસ્તી સંતુલિત આહાર માટે:
ભોજન હંમેશા તાજું અને ગરમ જ ખાવું.
રાત્રે 8:00 વાગ્યા પછી ભોજન ન કરવું.
ચયાપચય (ખયફિંબજ્ઞહશતળ) સુધારવા માટે હળદર, સુંઠ, લસણ અને મરીનો ઉપયોગ કરવો.
ભોજન માટે સમય નિયંત્રણ:
સવાર: હળવું અને પૌષ્ટિક (દૂધ, ફળ)
બપોર: મુખ્ય ભોજન (દાળ-ભાત, શાકભાજી,રોટલી, સલાડ, છાશ)
સાંજ: હળવું ભોજન (ખીચડી, સૂપ, દૂધ)
5. આયુર્વેદિક જીવનશૈલી અપનાવવાના લાભો
- શારીરિક તંદુરસ્તી રોજિંદા યોગ અને પૌષ્ટિક ખોરાકથી ઊર્જાવાન રહો.
- માનસિક શાંતિ ધ્યાન અને પ્રાણાયામ કરવાથી તણાવ ઓછો થાય.
- લાંબું અને સ્વસ્થ જીવન પ્રાકૃતિક ઉપાયો અને આયુર્વેદિક ઉપચારથી ઉંમર લાંબી અને તંદુરસ્ત રહે.

આયુર્વેદ રોગનિવારણ અને રોગપ્રતિરોધ માટે શ્રેષ્ઠ છે. તેથી, પંચકર્મ અને પ્રાકૃતિક ઉપચાર દ્વારા શરીર શુદ્ધિ, ત્રિદોષ સંતુલન અને રોગપ્રતિકારક શક્તિ વધારવી આરોગ્ય માટે અનિવાર્ય છે જે આયુર્વેદ દ્વારા સરળતાથી થઈ શકે છે.

સ્વાસ્થ્ય એજ સાચું સંપત્તિ છે! આયુર્વેદની આ ઉપાયો અપનાવીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવું સરળ બની શકે. પ્રાકૃતિક ઉપાયો, સાદી જીવનશૈલી અને યોગ્ય આહાર એ લાંબા આયુષ્ય માટેની ચાવી છે.તમારા આરોગ્ય માટે આજથી આયુર્વેદ અપનાવો!

Advertisement
Tags :
Advertisement
Advertisement