For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આતિશિએ તેના પિતા બદલ્યા છે: ભાજપ નેતા બિધુરી બેફામ

11:17 AM Jan 06, 2025 IST | Bhumika
આતિશિએ તેના પિતા બદલ્યા છે  ભાજપ નેતા બિધુરી બેફામ

દિલ્હીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવવા નિવેદન બાદ નવો વિવાદ

Advertisement

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજધાનીમાં ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. આ દરમિયાન વિવાદાસ્પદ નિવેદનો પણ થવા લાગ્યા છે. ભાજપના વિવાદાસ્પદ નેતા અને કાલકાજી વિધાનસભા સીટના ઉમેદવાર રમેશ બિધુરીએ હવે સીએમ આતિશી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આના થોડા કલાકો પહેલા જ તેણે પોતાના વાંધાજનક નિવેદનો માટે માફી માંગી હતી, જ્યાં એકસ પોસ્ટમાં તેણે બીજેપી ચીફ જેપી નડ્ડાને પણ ટેગ કર્યા હતા.

બીજેપી નેતા રમેશ બિધુરી રવિવારે રોહિણીમાં આયોજિત પાર્ટીની પરિવર્તન રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, દિલ્હીના ખાદૌનના મુખ્યમંત્રી આતિશીએ તેના પિતા બદલ્યા છે. તે મરલિનાથી બદલાઈને સિંહ બની ગયા છે. તેઓ મંચ પરથી પોતાના કાર્યકરોને સંબોધતા હતા ત્યારે તેમણે કહ્યું, અરે આ માર્લેના, તે સિંહ ભાઈ બની ગઈ છે. ચહેરાએ જ તેનું નામ બદલી નાખ્યું છે.

Advertisement

બીજેપીના વિવાદાસ્પદ ઉમેદવાર બિધુરીએ કહ્યું, કેજરીવાલે પોતાના બાળકોને સોગંદ ખાધા હતા કે તેઓ કોંગ્રેસ સાથે નહીં જાય. માર્લેનાએ તેના પિતા બદલી નાખ્યા છે. પહેલા તે માર્લેના હતી. હવે તે સિંહ બની ગઈ છે. બિધુરી અહીંથી ન અટક્યા, તેમણે મંચ પરથી બૂમો પાડી અને સીએમ આતિશીના માતા-પિતા પર હુમલો કર્યો અને દાવો કર્યો, તે જ માર્લેનાના પિતા અને માતાએ સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરુને માફી માટે અરજી કરી હતી. અગાઉ તેમણે કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે તેઓ દિલ્હીના રસ્તાને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા સુંદર બનાવશે. વિધુરીએ એ પછી માફી માંગી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement