For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉજ્જૈન મહાકાલ મંદિરમાં 'મહાકાલ' લખેલાં શ્રદ્ધાળુઓનાં શોર્ટ્સ ઉતરાવ્યા, પૂજારીએ દર્શન કરતા અટકાવ્યા

02:19 PM Aug 16, 2024 IST | Bhumika
ઉજ્જૈન મહાકાલ મંદિરમાં  મહાકાલ  લખેલાં શ્રદ્ધાળુઓનાં શોર્ટ્સ ઉતરાવ્યા  પૂજારીએ દર્શન કરતા અટકાવ્યા
Advertisement

મહાકાલ નગરી ઉજ્જૈનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં 12થી વધુ ભક્તો મંદિરમાં પ્રવેશ કરે એ પહેલા જ તેમના કપડા ઉતારવામાં આવ્યા. કારણ કે શ્રદ્ધાળુઓએ જે શોર્ટ્સ પહેર્યા હતા. તેના પર મહાકાલ લખેલું હતું અને ત્રિપુંડ પણ બનેલું હતું. મંદિરના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓએ આજે સવારે આવા લોકોને પરિસરમાં જ અટકાવ્યા હતા. કેટલાક લોકોના સ્થળ પર જ તેમના કપડા ઉતારવામાં આવ્યા હતા. તેને અન્ય કપડાં આપવામાં આવ્યા અને દર્શન માટે અંદર મોકલવામાં આવ્યા. ત્યારબાદ ભક્તોમાં અફરાતફરી મચી ગઈ હતી.

સુરક્ષાકર્મીઓ અને ગર્ભગૃહ નિરીક્ષક મંદિરમાં પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેઓએ કેટલાક ભક્તોને જોયા જેમણે બાબા મહાકાલના નામ લખેલા શોર્ટ્સ પહેરેલા હતા. બાબા મહાકાલના નામની સાથે તેમના પર ત્રિપુંડ પણ લગાવવામાં આવ્યો હતો. ગર્ભગૃહ નિરીક્ષક ઉમેશ પાંડેએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે કેટલાક ભક્તો રેલિંગ પર જોવા મળ્યા હતા. તેમણે જે કપડાં પહેર્યા હતા તેના પર બાબા મહાકાલનું નામ લખેલું હતું.

Advertisement

તેમણે જણાવ્યું કે પહેલા તેમની નજર તેમના કુર્તા સુધી પહોંચી જેના પર બાબા મહાકાલનું નામ લખેલું હતું, પરંતુ આ ભક્તો દ્વારા પહેરવામાં આવેલા શોર્ટ્સમાં બાબા મહાકાલના નામની સાથે ત્રિપુંડનું પ્રતીક પણ હતું. ભક્તો આવા કપડા પહેરીને મંદિરમાં આવતા હતા, જેના કારણે દરેકની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી હતી. જેને જોતા સુરક્ષા જવાનોની સાથે આવા ભક્તોને તાત્કાલિક રોકી દેવામાં આવ્યા હતા. તેમના વસ્ત્રો કાઢી નાખવાની સાથે તેમને ફરીથી આવા કપડા પહેરીને મંદિરમાં ન આવવાની સૂચના આપવામાં આવી હતી.

મહાકાલેશ્વર મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવાને લઈને પૂજારીઓ અનેકવાર અવાજ ઉઠાવ્યો છે. પરંતુ તેમની માંગણી સાંભળવા કોઈ તૈયાર નથી. તેમનું કહેવું છે કે આ જ કારણ છે કે ભક્તો પોતાની પસંદગીના વસ્ત્રો પહેરીને ભગવાનના દર્શન કરવા આવે છે. તે કહે છે કે સૌથી શરમજનક બાબત એ છે કે જ્યારે કેટલીક છોકરીઓ નાઈટ સૂટ પહેરીને બાબા મહાકાલના દર્શન કરવાં આવે છે, તો કેટલીક શર્ટ અને શોર્ટ્સમાં. પૂજારીઓનું કહેવું છે કે તેમના અગાઉના વિરોધની અવગણના કરવામાં આવી હતી. આ જ કારણ છે કે આજે કેટલાક પુરૂષ ભક્તો બાબા મહાકાલને આવા શોર્ટ્સ પહેરીને આવ્યા હતા, જેના પર ભગવાન મહાકાલના નામની સાથે ત્રિપુંડ પણ બનાવવામાં આવ્યો હતો.

પહેલા મંદિરમાં અને તેની આસપાસ વેચાતા કુર્તા પર બાબા મહાકાલનું નામ લખવામાં આવતું હતું. પરંતુ ભક્તોએ કુર્તાની સાથે અન્ય વસ્તુઓ ખરીદવાનું શરૂ કર્યું, આ કપડાં મંદિરની બહાર કુર્તાની સાથે શોર્ટ્સ પર બાબા મહાકાલનું નામ લખીને વેચવા લાગ્યા. જે ભક્તો શોર્ટ્સ પહેરીને પકડાયા હતા તે બધા બહારના હતા. તેણે કહ્યું કે તે મંદિરમાં આવવાના થોડા સમય પહેલા આ કપડા ખરીદ્યા હતાં. એવું કહેવાય છે કે શ્રી મહાકાલેશ્વર પ્રબંધન સમિતિ ટૂંક સમયમાં આ મામલે કેટલાક નક્કર પગલાં લેવા જઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement