For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુસ્લિમોને મરાઠીમાં અઝાન પઢવા કહો: ઠાકરે બંધુઓને રાણેનો પડકાર

05:36 PM Jul 04, 2025 IST | Bhumika
મુસ્લિમોને મરાઠીમાં અઝાન પઢવા કહો  ઠાકરે બંધુઓને રાણેનો પડકાર

મહારાષ્ટ્રના મંત્રી નીતિશ રાણોએ ભારત વિવાદમાં એન્ટ્રી કરતા જણાવ્યું હતું કે જે દોષિત છે તેમને સજા થશે. અમારી સરકાર હિન્દુઓ પર હાથ ઉપાડનારાઓ સામે કાર્યવાહી કરશે અને તેમને સજા અપાવશે. ઠાકરે ભાઈઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેમના લોકોએ ભાષાના નામે ગરીબ હિન્દુઓ પર હુમલો કર્યો છે. તેમણે ઠાકરે બંધુઓને પડકાર ફેંક્યો કે તેઓ મુસ્લિમોને મરાઠીમાં અઝાન બોલવાનું કહે.

Advertisement

જો તેઓ આવી હિંમત બતાવવા માંગતા હોય, તો તેમણે નાલ બજાર, ભીંડી બજાર, મોહમ્મદ અલી રોડ, બાંબોરા જવાની જરૂૂર છે. ત્યાં કોઈ મરાઠી બોલતું નથી. ત્યાં કોઈ ઉર્દૂથી નીચે કંઈ બોલતું નથી. તેમણે કહ્યું, કોઈ મુમરામાં જઈને તેમને અહીં ફક્ત મરાઠી બોલવાનું કહેતું નથી. મુમરા પણ આપણા મહારાષ્ટ્રમાં છે, શું તે પાકિસ્તાનમાં છે? કોઈ જાવેદ અખ્તરને સ્ટેજ પર આવીને મરાઠીમાં કવિતા વાંચવાનું કહેતું નથી. પછી બધા ચૂપ બેસે છે. તો પછી હિન્દુઓને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે? ગરીબ હિન્દુઓને કેમ માર મારવામાં આવી રહ્યો છે અને આ લોકોને કેમ છોડી દેવામાં આવી રહ્યા છે?

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement