For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ પંજાબી મજુરની ગોળી મારી હત્યા

06:45 PM Feb 08, 2024 IST | Bhumika
કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ પંજાબી મજુરની ગોળી મારી હત્યા

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ફરી એક વખત વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો છે. આતંકીઓએ એક પ્રવાસી મજૂરને ગોળી મારીને હત્યા કરી દીધી. આ હુમલામાં અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થઈ છે. જમ્મુ કાશ્મીર પોલીસે આ અંગે જાણકારી આપી છે કે મૃત્યુ પામનાર વ્યક્તિ અમૃતપાલ સિંહ પંજાબના અમૃતસરની રહેવાસી હતી. હુમલામાં ઘાયલ અંગે હજુ કોઈ જાણકારી નથી મળી.અમૃતપાલ સિંહ શ્રીનગરમાં ફેરિયાનું કામ કરતો હતો. શ્રીનગરના શહીદ ગુંજમાં આ હુમલો થયો. ઘટના પછી પોલીસ અને સેનાએ વિસ્તારને કોર્ડન કર્યો છે અને હુમલાખોરની શોધખોળ શરુ કરી છે. હુમલામાં ઘાયલ થયેલી વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ પહેલા ગત વર્ષે ઓક્ટોબરમાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ યુપીના એક પ્રવાસી મજૂરની ગોળી મારીને હત્યા કરી હતી. માત્ર 24 કલાકની અંદર ત્યારે આ ક્ષેત્રમાં આ બીજો આતંકી હુમલો હતો. કેમકે તે પહેલા જમ્મુ કાશ્મીર પોલીસમાં ઈન્સ્પેક્ટર મસરુર અહમદ વાનીને ઈદગાહ વિસ્તારમાં ક્રિકેટ રમતી વખત ત્રણ ગોળીઓ મારવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટાર્ગેટ કિલિંગની ઘણી જ ઘટનાઓ થઈ છે. પ્રવાસી શ્રમિકો પર અનેક હુમલાઓ થયા છે. ઓક્ટોબર 2019 પછીથી ક્ષેત્રમાં બિન સ્થાનિક શ્રમિકોને વારંવાર આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement