For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વધુ એક ધરતીકંપ; આસામ-દિલ્હી-મેઘાલય-બંગાળ-બિહારમાં ધરતી ધ્રુજી

11:15 AM Feb 27, 2025 IST | Bhumika
વધુ એક ધરતીકંપ  આસામ દિલ્હી મેઘાલય બંગાળ બિહારમાં ધરતી ધ્રુજી

આજે સવારે 2:25 વાગ્યે આસામના મોરીગાંવમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપનું કેન્દ્ર મોરીગાંવ હતું. પરંતુ આસામ સિવાય તેના આંચકા મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. મધ્યરાત્રિ પછી આવેલા આ ભૂકંપના કારણે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરની બહાર નીકળી ગયા.

Advertisement

આસામના ઘણા જિલ્લાઓમાં ભૂકંપની અસર અનુભવાઈ હતી. ગુવાહાટી, નાગાંવ અને તેજપુરમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ધ્રુજારી એટલી જોરદાર હતી કે હું જાગી ગયો અને પંખા અને બારીઓ ધ્રુજવા લાગી. કેટલાક વિસ્તારોમાં લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા. જોકે, હજુ સુધી કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કેટલાક લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે ભૂકંપ ખૂબ જ હળવા હતા, તેથી મોટાભાગના લોકો ઊંઘતા રહ્યા અને બહાર નીકળવાની કોઈ સ્થિતિ નહોતી.

Advertisement

NCSના ડેટા અનુસાર ભૂકંપનું કેન્દ્ર મોરીગાંવમાં હતું અને તે સપાટીથી 16 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઉત્તરપૂર્વ ભારત ભૂકંપ-સંવેદનશીલ ઝોન 5 માં આવે છે જ્યાં હળવાથી મધ્યમ તીવ્રતાના ભૂકંપ આવતા રહે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement