રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારતીય નૌકાદળનું વધુ એક દિલધડક ઓપરેશન: હિંદ મહાસાગરમાં હાઇજેક થયેલા ઈરાની જહાજને ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું, 23 પાકિસ્તાની ક્રૂને બચાવ્યાં

10:43 AM Mar 30, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

ભારતીય નૌકાદળે ફરી એક વખત ચાંચિયાઓ પર જીત મેળવી છે અને ઈરાનના એક જહાજને તેમના ચુંગાલમાંથી બચાવી લીધું છે. તે ઈરાની માછીમારીનું જહાજ હતું, જેની સાથે ભારતીય નૌકાદળે પણ 23 પાકિસ્તાની ક્રૂને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન અંગે નેવીએ તેના નિવેદનમાં કહ્યું કે, અમારી નિષ્ણાત ટીમ આ વિસ્તારની તપાસ કરશે, જેથી આ વિસ્તાર માછીમારી અને અન્ય સામાન્ય પ્રવૃત્તિઓ માટે ફરીથી સુરક્ષિત બને.

ગુરુવારે જ આ જહાજને ચાંચિયાઓએ કબજે કરી લીધું હતું, ત્યારબાદ નેવીએ તેમને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. શુક્રવારે બહાર આવેલી માહિતી અનુસાર, ભારતીય નૌકાદળે એડનની ખાડી પાસે ચાંચિયાઓના હુમલાનો જવાબ આપ્યો અને કલાકોની આકરી કાર્યવાહી બાદ ભારતીય નૌકાદળ દ્વારા 23 પાકિસ્તાની નાગરિકોના ક્રૂને બચાવી લેવામાં આવ્યા છે. તે જ સમયે, ઈરાની ફિશિંગ જહાજ 'AI Kanbar 786' પર સવાર ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું છે. નૌકાદળને 28 માર્ચની સાંજે ઈરાનના માછીમારી જહાજ 'અલ કંબર 786' પર ચાંચિયાઓએ કરેલા હુમલાની માહિતી મળી હતી.

આ માહિતી મળતાની સાથે જ નેવીએ જવાબી કાર્યવાહી કરીને ઈરાની જહાજને બચાવવા માટે અરબી સમુદ્રમાં દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત બે જહાજોને તૈનાત કર્યા હતા. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઘટના સમયે, જહાજ સોકોત્રાથી લગભગ 90 એનએમ દક્ષિણ-પશ્ચિમમાં હતું અને તેમાં નવ સશસ્ત્ર ચાંચિયાઓ હોવાનું જાણવા મળ્યું હતું. હાઇજેક કરાયેલ FV 29 માર્ચે અટકાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સોકોત્રા દ્વીપસમૂહ ઉત્તર પશ્ચિમ હિંદ મહાસાગરમાં એડનની ખાડી પાસે છે. તાજેતરના મહિનાઓમાં એડનની ખાડી નજીક વેપારી જહાજો પર વધતા હુમલાઓને કારણે ભારતીય નૌકાદળે તેની તકેદારી વધારી છે.

5 જાન્યુઆરીના રોજ, ભારતીય નૌકાદળે લાઇબેરિયન-ધ્વજવાળા જહાજ એમવી લીલા નોરફોકને સોમાલિયાના દરિયાકાંઠે ચાંચિયાઓએ હાઇજેક કર્યા પછી બચાવ્યું હતું. 23 માર્ચે નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે જણાવ્યું હતું કે નૌકાદળ હિંદ મહાસાગર ક્ષેત્રને વધુ સુરક્ષિત કરવા માટે જરૂરી કાર્યવાહી કરશે.

Tags :
hijacked shipindiaindia newsIndian NavyIndian Navy operation
Advertisement
Next Article
Advertisement