વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતાના માહોલ વચ્ચે શેરબજારમાં બીજા દી’એ પણ હરિયાળી
વિદેશી રોકાણકારોની મહીનાઓથી સતત વેચવાલી અને અમેરીકાનાં પ્રમુખની ટેરીફની ધમકીથી છતા સર્વિસ પીએમઆઇ ઉંચો આવતા અને આરબીઆઇ દ્વારા બજારમા વધુ લિકિવડીટી ઠાલવવાનાં સમાચારોનાં પગલે ડરેલા ભારતીય શેરબજારમા આજે સતત બીજા દિવસે તેજીનો માહોલ જળવાઇ રહયો હતો .
કામકાજનાં આખરી અડધા કલાકમા સેન્સેકસ 600 પોઇન્ટથી વધુની સપાટીએ ટ્રેડ થઇ રહયો હતો. ગઇકાલની બંધ સપાટી 73730 થી એક તબકકે સેન્સેકસ નીચે 7341પ ની સપાટીએ પહોંચ્યો હતો પરંતુ એક તબકકે મતે 74371 ની સપાટીને ર્સ્પશ્યો હતો આમ સેન્સેકસમા 900 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી બીજી તરફ નિફટી પણ ગઇકાલની બંધ સપાટી રર337 થી નીચે એટલે કે રરર4પ ની નિચલી સપાટીને અડી રરપપ0 નાં ઉચા સ્તરે પહોંચ્યો હતો . આમ લગભગ 300 પોઇન્ટની ઉથલ પાથલ જોવા મળી હતી. પરંતુ કામકાજનાં અંત ભાગમા તે લગભગ 19ર પોઇન્ટનાં વધારા સાથે ટ્રેડ થઇ રહયો હતો.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી સુધીમા FIIsનું AUC êરૂૂ. 62.38 લાખ કરોડ હતું, જે જાન્યુઆરી 2024 પછીનું સૌથી નીચું સ્તર દર્શાવે છે. આ સપ્ટેમ્બર 2024માં રૂૂ. 77.96 લાખ કરોડની ટોચથી રૂૂ. 15.58 લાખ કરોડનો તીવ્ર ઘટાડો દર્શાવે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (ઋઈંઈંત) દ્વારા સતત વેચવાલી સાથે, તેમની કસ્ટડી હેઠળની સંપત્તિ (અઞઈ) માં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે ફેબ્રુઆરીમાં 13 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો.