For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિવાદ વચ્ચે CJI ચંદ્રચૂડે તિરુપતિમાં લાડવા ખાધા

11:31 AM Sep 30, 2024 IST | Bhumika
વિવાદ વચ્ચે cji ચંદ્રચૂડે તિરુપતિમાં લાડવા ખાધા
Advertisement

તિરુપતિ બાલાજીના લાડુના વિવાદ વચ્ચે સીજેઆઇ ડીવાય ચંદ્રચૂડ રવિવારે પરિવાર સાથે તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) વતી તેમનું સન્માન કરવામાં આવ્યું અને પ્રસાદ આપવામાં આવ્યો હતો. ખાસ વૈકુંઠ પંક્તિથી મંદિરમાં પ્રવેશ્યા પછી, સીજેઆઇ ગર્ભગૃહમાં પહોંચ્યા અને ભગવાન વેંકટેશની પૂજા કરી. દર્શન બાદ સીજેઆઇ ચંદ્રચૂડ અને તેમના પરિવારને રંગનાયકુલા મંડપમના પૂજારીએ આશીર્વાદ આપ્યા હતા. ટીટીડી એક્ઝિક્યુટિવ ઓફિસર જે શ્યામલા રાવે તેમને ભગવાન વેંકટેશ અને પ્રસાદનું ચિત્ર આપ્યું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement