ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

IRCTC કેસમાં લાલુ પરિવાર સામે આરોપો ઘડાયા

03:56 PM Oct 13, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

બિહાર ચૂંટણી પહેલા તેજસ્વી યાદવને IRCTC હોટલ ભ્રષ્ટાચાર કેસમાં અદાલતે પ્રથમ દ્રષ્ટીએ દોષિત માન્યા છે. રાઉસ એવન્યુ કોર્ટે આ કેસમાં આરોપીઓ સામે આરોપ નક્કી કર્યા છે, જેમાં RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને ભૂતપૂર્વ CM રાબડી દેવીનો સમાવેશ થાય છે. જોકે, લાલુ યાદવ અને રાબડી દેવીએ આરોપોને નકારી કાઢ્યા છે અને ટ્રાયલનો સામનો કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે.

કોર્ટના આ નિર્ણયથી બિહાર ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવ પરિવારને મોટો ફટકો પડ્યો છે. કોર્ટે સીબીઆઈ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સમર્થન આપ્યું છે. ભારતીય દંડ સંહિતાની કલમ 420 અને 120ઇ હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે, તેમજ અન્ય ઘણી કલમો પણ છે. કોર્ટે જણાવ્યું હતું કે આ કૌભાંડ લાલુ પ્રસાદ યાદવની જાણકારીથી થયું હતું. પરિવારના સભ્યોને રાહત દરે જમીન આપવામાં આવી હતી. કોર્ટે આરોપીઓ દ્વારા રજૂ કરાયેલી દલીલોને ફગાવી દીધી હતી. અદાલતના આદેશથી લાલુ સહીત પરિવારના ત્રણેય સભ્યો આરોપો ઘડાયા ત્યારે હાજર રહ્યા હતા.

કોર્ટના આ નિર્ણયની વિધાનસભા ચૂંટણી પર મોટી અસર પડી શકે છે. કોર્ટના આદેશથી પુષ્ટિ મળી છે કે આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ પરિવારના સભ્યો પર કેસ ચલાવવામાં આવશે. આ કેસ 2004 થી 2009 દરમિયાન લાલુ પ્રસાદના રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન IRCTC હોટલ જાળવણી કોન્ટ્રાક્ટની ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપો સાથે સંબંધિત છે.

લાલુના પરિવારના સભ્યો સહિત ચૌદ વ્યક્તિઓ પર લાલુ સાથે જોડાયેલી બેનામી કંપની પાસેથી મેળવેલી ત્રણ એકર કિંમતી જમીનના બદલામાં IRCTC હોટલ જાળવણી કોન્ટ્રાક્ટ આપવાનો આરોપ છે. 7 જુલાઈ, 2017 ના રોજ, CBI એ FIR નોંધી અને પટના, નવી દિલ્હી, રાંચી અને ગુરુગ્રામમાં લાલુ પ્રસાદ અને તેમના પરિવાર સાથે જોડાયેલા 12 સ્થળોએ દરોડા પાડ્યા. CBI એ દાવો કર્યો છે કે બધા આરોપીઓ સામે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે. લાલુ પ્રસાદના વકીલે દલીલ કરી છે કે તેમની સામે કેસ ચાલુ રાખવા માટે કોઈ કાનૂની આધાર નથી.

 

તોફાન સામે લડવાની મજા કંઇક જુદી જ છે: તેજસ્વી
દિલ્હીની અદાલતે છેતરપીંડી, ષડયંત્ર તથા સતાનાં દુરઉપયોગનાં આરોપ ઘડયા બાદ તેજસ્વી યાદવે કહ્યું કે ચૂંટણી નજીક આવતાની સાથે આવી ઘટનાઓ બનવાની છે. તેમ છતાં, કોર્ટનો આદર કરતા, તેઓ કહેવા માંગે છે કે અમે હંમેશા લડ્યા છીએ અને લડતા રહીશું. તેમણે ઉમેર્યું કે તોફાનો સામે લડવામાં કંઈક વધુ મજા છે. તેજસ્વીએ કહ્યું કે અમે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો છે. અમે સારા પ્રવાસી બનીશું અને અમારા ગંતવ્ય સ્થાને પહોંચીશું.

Tags :
Biharbihar newsElectionindiaindia newsIRCTC casePolitics
Advertisement
Next Article
Advertisement