For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉડ્ડયન યોગ્યતાનું લાઇસન્સ ન હોવા છતાં 8 વખત એરબસની ઉડાન

11:30 AM Dec 02, 2025 IST | Bhumika
ઉડ્ડયન યોગ્યતાનું લાઇસન્સ ન હોવા છતાં 8 વખત એરબસની ઉડાન

ટાટાની માલિકીની એર ઇન્ડિયાએ ઘણી વખત એવા વિમાનનું સંચાલન કર્યું હતું જે ઉડાન યોગ્ય ન હતું, જે સંભવિત રીતે મુસાફરોની સલામતીને જોખમમાં મૂકે છે.

Advertisement

164 સીટર એરબસ અ320, જેની મુદત પૂરી થઈ ગઈ હતી, તે પહેલાં 24-25 નવેમ્બરના રોજ આઠ વખત ઉડાન ભરી હતી, જેમાં એક એન્જિનિયરને ભૂલની જાણ થઈ અને વિમાનને સેવામાંથી બહાર કાઢવામાં આવ્યું, આ બાબતથી વાકેફ લોકોએ જણાવ્યું હતું. આના કારણે નિયમનકાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

12 જૂનના રોજ ડ્રીમલાઇનર ક્રેશમાં 260 લોકોના મોત થયા બાદ, મુશ્કેલીમાં મુકાયેલી એરલાઇન મુસાફરોને ખાતરી કરાવવાનો પ્રયાસ કરી રહી છે કે તે તેમની સલામતીને ગંભીરતાથી લે છે.

Advertisement

DGCA દ્વારા એરવર્થિનેસ સર્ટિફિકેટ જારી કરવામાં આવે છે, અને વિમાન સમયાંતરે જાળવણીમાંથી પસાર થયું છે અને ઉડાન માટે સલામત સ્થિતિમાં છે તેની ખાતરી કર્યા પછી દર વર્ષે તેનું નવીકરણ કરવામાં આવે છે. માન્ય લાઇસન્સ અને પ્રમાણપત્રો વિના વિમાન ચલાવવું એ ગંભીર ગુનો માનવામાં આવે છે અને એર ઇન્ડિયાને ભારે દંડનો સામનો કરવો પડે તેવી શક્યતા છે, જેમાં ટોચના અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો પણ સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement