એર ઇન્ડિયા એક ઓગસ્ટથી અનેક ઇન્ટરનેશનલ ફલાઇટ્સ શરૂ કરશે
ઓક્ટોબરથી બધુ રાબેતા મુજબ ઓપરેશન
12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ કર્યાના થોડા જ સેક્ધડ પછી ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં 270 લોકો માર્યા ગયા હતા, જેમાં જમીન પર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. આ વિમાન બોઇંગ 787 ડ્રીમલાઇનર હતું.
અકસ્માત પછી એર ઇન્ડિયાએ તેના તમામ બોઇંગ 787 વિમાનોની વધારાની તપાસ શરૂૂ કરી હતી. આ ઉપરાંત, પાકિસ્તાન અને મધ્ય પૂર્વના હવાઈ ક્ષેત્રમાં ફ્લાઇટ્સ પર પ્રતિબંધોને કારણે ફ્લાઇટ્સમાં વધારાનો સમય લાગી રહ્યો હતો. આ કારણોસર સાવચેતી રૂૂપે કેટલીક આંતરરાષ્ટ્રીય સેવાઓ અસ્થાયી રૂૂપે બંધ કરવામાં આવી હતી.
હવે એર ઇન્ડિયાએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 1 ઓગસ્ટ, 2025થી ફરી શરૂૂ કરવામાં આવશે. જોકે, 1 ઓક્ટોબર, 2025થી બધી ફ્લાઇટ્સ સંપૂર્ણ રીતે ફરી શરૂૂ કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક રૂૂટ પર ફ્લાઇટ્સ 1 ઓગસ્ટથી ફરી શરૂૂ કરવામાં આવશે, જ્યારે સંપૂર્ણ કામગીરી ઓક્ટોબરથી ફરી શરૂૂ થશે.
જોકે એર ઇન્ડિયાએ હજુ સુધી રૂૂટની સંપૂર્ણ યાદી આપી નથી, લંડન, દુબઇ, સિંગાપોર, ટોરન્ટો અને ન્યૂયોર્ક જેવા લોકપ્રિય આંતરરાષ્ટ્રીય રૂૂટ પર ફ્લાઇટ્સ ફરી શરૂૂ થવાની અપેક્ષા છે. આમાં એવા રૂૂટને પ્રાથમિકતા આપવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ભારતીય મુસાફરો છે.