અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની માઠી બેઠી, 4 ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે કુલ 8 ફ્લાઇટ રદ
અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાને એક સપ્તાહ પૂર્ણ થયુ છે. ત્યારે આ દુર્ઘટના બાદ ટેકનિકલ ખામીઓ, સુરક્ષા જોખમો સહિત વિવિધ કારણોસર ઘણી ફ્લાઇટ્સ રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. આ દરમિયાન આજેએર ઇન્ડિયાએ શુક્રવારે 8 ફ્લાઇટ્સ રદ કરી છે. જેમાં 4 આંતરરાષ્ટ્રીય અને 4 સ્થાનિક ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. ઉડ્ડયન કંપનીએ ફ્લાઇટ રદ કરવાનું કારણ જાળવણી અને કાર્યરત હોવાનું જણાવ્યું છે. એર ઇન્ડિયાએ આ સંદર્ભમાં એક સત્તાવાર નિવેદન જારી કર્યું છે.
એરલાઇને મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા મફત રિશેડ્યુલિંગ ઓફર કરી છે અને વૈકલ્પિક મુસાફરી યોજનાઓમાં મુસાફરોને મદદ કરી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દિલગીર છીએ. જમીન પર અમારા સાથીદારો શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાનો પર ઉડાન ભરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છે. રદ થવાના કિસ્સામાં મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા રિશેડ્યુલિંગ ઓફર કરવામાં આવી છે.'
એર ઇન્ડિયાએ આ ફ્લાઇટ્સ રદ કરી
દુબઈથી ચેન્નાઈ - AI906
દિલ્હીથી મેલબોર્ન - AI308
મેલબોર્નથી દિલ્હી - AI309
દુબઈથી હૈદરાબાદ - AI2204
પુણેથી દિલ્હી -AI874
અમદાવાદથી દિલ્હી -AI456
હૈદરાબાદથી મુંબઈ -AI-2872
ચેન્નઈથી મુંબઈ -AI571
એરલાઇને મુસાફરોને તેમની વેબસાઇટ પર તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસવા અથવા અપડેટ્સ માટે ગ્રાહક સંભાળ નંબર પર કૉલ કરવાની સલાહ આપી છે. કંપનીએ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, 'અમારા વિમાનની સતત વધતી જતી ચકાસણી, એરસ્પેસ પ્રતિબંધો અને ખરાબ હવામાનને કારણે, અમને કેટલીક વિક્ષેપોની અપેક્ષા છે, જેની મુસાફરોને યોગ્ય રીતે જાણ કરવામાં આવશે. મુસાફરોને વિનંતી છે કે તેઓ airindia.com પર તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસે અથવા અમારા ગ્રાહક સંભાળ નંબરો 011 69329333, 011 69329999 પર કૉલ કરે.