For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી પહેલાં ડુંગળી-ચોખાની નિકાસનું ભાવબાંધણું દૂર

11:00 AM Sep 14, 2024 IST | admin
ચૂંટણી પહેલાં ડુંગળી ચોખાની નિકાસનું ભાવબાંધણું દૂર

હરિયાણા-મહારાષ્ટ્રની ચૂંટણી સમયે જ મોદી સરકારનો મોટો દાવ, તાત્કાલિક અસરથી અમલ

Advertisement

હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારે બાસમતી ચોખા અને ડુંગળી પરની લઘુતમ નિકાસ કિંમત મર્યાદા હટાવી દીધી છે. હરિયાણામાં ચોખાની અને મહારાષ્ટ્રમાં ડુંગળીની ખેતી પુસ્કળ પ્રમાણમાં થાય છે ત્યારે કેન્દ્ર સરકારના આ પગલાને રાજકીય દ્રષ્ટીકોણથી જોવામ આવે છે.

સરકારનું કહેવું છે કે આ પગલાથી દેશમાંથી નિકાસને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત ડુંગળીની નિકાસ કરવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. પરંતુ મામલો અલગ જ જણાય છે. વાસ્તવમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હજુ સુધી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તે ટૂંક સમયમાં થઈ શકે છે.

Advertisement

અત્યાર સુધી ડુંગળી પર ખઊઙ 550 પ્રતિ ટન નક્કી કરવામાં આવતું હતું. પરંતુ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ઉૠઋઝ) એ એક સૂચના જારી કરી છે અને તેને તાત્કાલિક અસરથી અને આગળના આદેશો સુધી હટાવી દીધી છે. તેવી જ રીતે, વાણિજ્ય વિભાગે બાસમતી ચોખાની નિકાસ માટે છઈઅઈ કરવાની વાત કરી છે. આ માટે, 950 પ્રતિ ટનના વર્તમાન ખઊઙને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આ પગલું નિકાસને પ્રોત્સાહન આપશે અને ખેડૂતોની આવકમાં મદદ કરશે.

સરકારે ગયા વર્ષના ઑક્ટોબરની શરૂૂઆતમાં બાસમતી ચોખાની નિકાસ માટે લઘુત્તમ ભાવ 1200 પ્રતિ ટનથી ઘટાડીને 950 પ્રતિ ટન કર્યો હતો. ઊંચા ભાવને કારણે નિકાસને અસર થવાની ચિંતાને કારણે આવું કરવામાં આવ્યું હતું. સરકારે 27 ઓગસ્ટ, 2023 ના રોજ પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ નોન-બાસમતી ચોખાની ગેરકાયદેસર નિકાસને રોકવા માટે પ્રતિ ટન ઞજ1200 થી નીચેના ભાવે બાસમતી ચોખાની નિકાસને મંજૂરી ન આપવાનો નિર્ણય લીધો હતો.

આ વર્ષે મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. લોકસભાની ચૂંટણી દરમિયાન સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. જોકે, ખઊઙ 550 પ્રતિ ટન નક્કી કરવામાં આવ્યું હતું. સરકારે ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદવાનો આદેશ ચાલુ રાખ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં સરકારે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી. તે પહેલા, 8 ડિસેમ્બર, 2023 ના રોજ, આ વર્ષે 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સરકારના આ પગલાથી ડુંગળીના ભાવમાં વધારો થઈ શકે છે. છૂટક બજારમાં હજુ પણ ડુંગળી 80 રૂૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. ડુંગળી પરની ખઊઙ મર્યાદા હટાવ્યા બાદ અન્ય દેશોમાં ડુંગળીની નિકાસ ઝડપથી વધશે. આવી સ્થિતિમાં સ્થાનિક બજારમાં ડુંગળીની અછત જોવા મળી શકે છે. તેનાથી ડુંગળીના ભાવ વધી શકે છે. આ જ વાત બાસમતી ચોખાને પણ લાગુ પડશે. તેની કિંમતમાં પણ વધારો જોવા મળી શકે છે.

ખાદ્યતેલો પરની આયાત ડ્યૂટીમાં 20 ટકાનો વધારો
સરકારે શુક્રવારે ખાદ્યતેલો પરની આયાત ડ્યૂટીમાં 20%નો વધારો કર્યો છે, સ્થાનિક ઉદ્યોગકારોએ રજુઆત કરી હતી કે સસ્તી આયાતને કારણે સ્થાનિક તેલના બીજના ભાવ અને ખેડૂતો પર પ્રતિકૂળ અસર પડી છે. આનાથી સ્થાનિક ઉત્પાદકોને રાહત મળી શકે છે કારણ કે તેનાથી કિંમતોમાં નજીવો વધારો થશે. સરકારી નોટિફિકેશન મુજબ ક્રૂડ પામ, સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પર આયાત ડ્યુટી શૂન્યથી વધીને 20% થશે અને રિફાઈન્ડ પામ, સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પર 12.5% થી વધીને 32.5% થશે. આ ક્રૂડ અને રિફાઈન્ડ તેલ પર અસરકારક ડ્યુટી અનુક્રમે 5.5% થી વધીને 27.5% અને 13.75% થી વધીને 35.75% થશે કારણ કે સરકાર આ તેલ પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ સેસ પણ લાદશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement