રામમંદિર પછી હવે રાષ્ટ્રીય મંદિર બનાવવું જરૂરી છે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડો. મોહન ભાગવતે ગઇકાલે જણાવ્યું કે, અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિર, જે બધાના કલ્યાણનું પ્રતીક છે, તે પૂરું થઈ ગયું છે. હવે આગળનો પગલો એક શાનદાર, શક્તિશાળી અને સુંદર રાષ્ટ્રીય મંદિર બનાવવાનો છે. આ નિવેદન આરએસએસના શતાબ્દી વર્ષ સમારોહ હેઠળ કોથરુડના યશવંતરાવ ચવ્હાણ નાટ્યગૃહમાં આદિત્ય પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત આભાર સમારોહ દરમિયાન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જગદ્ગુરુ શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી સ્વામી, આદિત્ય પ્રતિષ્ઠાનના અધ્યક્ષ શંકર અભ્યંકર અને અપર્ણા અભ્યંકર પણ હાજર હતા. ડો. ભાગવતે કહ્યું કે, આરએસએસમાં કોઈ અહંકાર કે જવાબદારીની ભાવના નથી, કારણ કે આરએસએસ સમાજ માટે નિ:સ્વાર્થ ભાવથી કામ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, આરએસએસ આખા સમાજનું સંગઠન ઇચ્છે છે. એકજૂટ સમાજ જ દેશને સુખી બનાવી શકે છે અને મજબૂત દેશ જ વિશ્વમાં શાંતિ લાવી શકે છે. આરએસએસનો દાવો નથી કે માત્ર આરએસએસ જ દેશનું ભલું કરશે.
આ નિવેદનથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂૂ થઈ ગઈ છે, કારણ કે રાષ્ટ્રીય મંદિરનો ઉલ્લેખ કયા મંદિર માટે છે તે સ્પષ્ટ નથી, પરંતુ તેને ભારતીય સંસ્કૃતિ અને એકતાના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યું છે.