For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોરોના બાદ ખતરનાક વાઇરસ મારબર્ગનો કહેર, 8નાં મોત

11:25 AM Oct 01, 2024 IST | admin
કોરોના બાદ ખતરનાક વાઇરસ મારબર્ગનો કહેર  8નાં મોત

રવાંડાના 26 લોકો સંક્રમિત, ચેપ લાગ્યા બાદ ભારે તાવ અને બ્લીડિંગ થાય છે

Advertisement

કોરોના બાદ બીજા વાઇરસનો ડર વિશ્વને સતાવી રહ્યો છે. કલ્પના કરો કે આ મારબર્ગ વાઇરસ કેટલો ખતરનાક છે કે ચેપ પછી ખૂબ તાવ અને બ્લીડિંગ થાય છે. આ મારબર્ગ વાઇરસનો સંક્રમણ કર્યા પછી, 100 માંથી 22 લોકો બચી જાય છે. રવાંડામાં મારબર્ગ વાયરસ ફાટી નીકળવાના કારણે અત્યાર સુધીમાં લગભગ 6 લોકોના મોત થયા છે. તેમજ મારબર્ગ વાયરસને કારણે 20 થી વધુ લોકો ખરાબ રીતે સંક્રમિત છે.

એક અહેવાલ મુજબ, રવાન્ડાના સ્વાસ્થ્ય મંત્રી ડો. સબિન ન્સાનઝિમાનાએ કહ્યું છે કે અત્યાર સુધીમાં 26 લોકો આ રોગથી સંક્રમિત છે. ચેપગ્રસ્ત લોકોના નજીકના સંપર્કમાં લગભગ 200 લોકો આવવાની પણ સંભાવના છે. સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ચેપગ્રસ્ત લોકોના શારીરિક સંપર્કમાં ન આવે અને તેમને ટાળે જેથી ચેપને ફેલાતો અટકાવી શકાય.

Advertisement

મારબર્ગ વાયરસ એક ચેપી વાયરસ છે, જે ખફબિીલિ ટશફિહ ફીવર અથવા ખફબિીલિ હેમોરહેજિક ફીવર નામના રોગનું કારણ બને છે. આ વાયરસ એ જ પરિવારનો સભ્ય છે (ઋશહજ્ઞદશશિમફય) જે ઇબોલા વાયરસ છે. તદુપરાંત, તેના લક્ષણો અને ફેલાવો પણ ઇબોલા જેવા છે. મારબર્ગ વાયરસ એકદમ જીવલેણ છે.
મારબર્ગ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી, લાળ, પરસેવો વગેરેના સંપર્કમાં આવવાથી ફેલાઈ શકે છે. તેથી, મારબર્ગથી ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર રાખો.

માહિતી અનુસાર, મારબર્ગ વાયરસના ચેપ પછી, તેના લક્ષણો 2 થી 21 દિવસમાં વિકસિત થાય છે. પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને નબળાઇનો સમાવેશ થાય છે. આ પછી પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી અને ગંભીર કિસ્સાઓમાં આંતરિક અને બાહ્ય બ્લીડિંગ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement