રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘આપ’ની દેશભરમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત, દિલ્હીમાં સજ્જડ સુરક્ષા, મેટ્રો બંધ

11:29 AM Mar 22, 2024 IST | Bhumika
Advertisement

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, સંદીપ પાઠક અને આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી અને કહ્યું કે અમારી લડાઈ શેરીઓથી લઈને કોર્ટ સુધી ચાલુ રહેશે. ગોપાલ રાયે કહ્યું કે લાંબા બલિદાન પછી આ દેશને બંધારણ મળ્યું અને તેણે જનપ્રતિનિધિઓને પસંદ કરવાનો અધિકાર આપ્યો, પરંતુ આજે આખો દેશ ચોંકી ગયો છે કે મામલો કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં પીએમ મોદીએ જંગી બહુમતી સાથે ચૂંટાયેલા મુખ્યમંત્રીની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે આજે જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ ભાજપ અને તેની સરકાર વિરુદ્ધ બોલવાની હિંમત કરશે તો તેની ધરપકડ કરવામાં આવશે. જો ભાજપ એવું વિચારે છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને તેઓ આપનો નાશ કરશે અને વિપક્ષોને ડરાવી દેશે તો તેઓ ખોટા છે. દરેક વ્યક્તિ સાથે મળીને આ લડાઈ લડશે.

Advertisement

અમે નક્કી કર્યું છે કે અમે આજે સવારે 10 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર ખાતે આ ધરપકડનો વિરોધ કરીશું. આ પ્રદર્શન દેશભરમાં કરવામાં આવશે. આપના આ એલાન અને દિલ્હીમાં ઉગ્ર પ્રદર્શનો ધ્યાને લઇ દિલ્હીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અને મેટ્રો પણ બંધ કરી દેવામાં આવી છે.આપના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે તેઓ ભાજપને કહેવા માંગે છે કે જો તમારામાં હિંમત હોય તો ચૂંટણી મેદાનમાં ઉતરો, તમે ખોટા કેસ કરીને કેમ પાછળથી હુમલો કરી રહ્યા છો. અમે આ દેશ માટે બધું દાવ પર લગાવા આવ્યા છીએ.

દિલ્હી સરકારના મંત્રી અને આપ નેતા આતિશીએ કહ્યું કે 2 વર્ષની તપાસમાં સીબીઆઇ કે ઇડીને એક પણ પૈસો મળ્યો નથી, પરંતુ ચૂંટણીની જાહેરાત થતાં જ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.

Tags :
aapAAP Arvind KejriwalArvind Kejriwal Arresteddelhiindiaindia newsmetro shutdowntight security in Delhi
Advertisement
Next Article
Advertisement