For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસે મોદી, પ્રિયંકા અને કેજરીવાલ વચ્ચે જુબાની જંગ

05:32 PM Feb 03, 2025 IST | Bhumika
દિલ્હીમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસે મોદી  પ્રિયંકા અને કેજરીવાલ વચ્ચે જુબાની જંગ

દિલ્હી વિધાનસભાના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગ માટે બુધવારે મતદાન યોજાય એ પહેલા પ્રચારના આખરી દિવસે અને પુર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષી નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને આપના નેતા અરવિંદ કેજરીવાલ વચ્ચે જોરદાર જુબાની જંગ ખેલાયો હતો. પ્રિયંકા ગાંધીએ ગઇકાલે એક સભામા મોદી અને કેજરીવાલનો આડકતરો ઉલ્લેખ કરી તેમને રડતા બાળક ગણાવ્યા હતા.

Advertisement

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચ પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે ચૂંટણી પંચ પર ભાજપ સામે હથિયારો મૂકવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને પૂછવામાં આવ્યું છે કે ભાજપ દ્વારા તેમને કયું પદ ઓફર કરવામાં આવ્યું છે કે તેમણે દિલ્હીને દાવ પર લગાવી દીધું છે.તેમણે કહ્યું, રાજવી કુમાર આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિ પછી, તેમને એવી કઈ પોસ્ટ ઓફર કરવામાં આવી છે કે તમે દેશને દાવ પર લગાવી શકો છો. કયો પદ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ હોઈ શકે? તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ ભાજપને શરણે થઈ ગયું છે. નિવૃત્તિ પછી રાજીવ કુમારે પદના લોભમાં દેશની લોકશાહીને ગીરો મૂકી દીધી છે.

બીજી તરફ દિલ્હીમાં ચૂંટણી પ્રચારના ભાગરૂૂપે, મોદીએ આરકેપુરમમાં રેલીમાં કહ્યું કે AP-DA પાર્ટીએ દિલ્હીના 11 વર્ષ બરબાદ કર્યા છે. તેમણે કહ્યું કે, હું દિલ્હીના દરેક પરિવારને પ્રાર્થના કરું છું... કૃપા કરીને અમને દિલ્હીના લોકો, તમારા બધાની સેવા કરવાનો મોકો આપો... હું ખાતરી આપું છું કે તમારી દરેક સમસ્યા અને દરેક સમસ્યાનો અંત લાવવા માટે હું મારી જાતને સમર્પિત કરીશ.મોદીએ એવી બાંહેધરી પણ આપી હતી કે દિલ્હીમાં ઝૂંપડપટ્ટીઓ તોડવામાં આવશે નહીં અને જો ભાજપની સરકાર બનશે તો દિલ્હીમાં ચાલી રહેલી કલ્યાણકારી યોજનાઓ પણ બંધ કરવામાં આવશે નહીં.

Advertisement

કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ પહેલાથી જ ખાતરી આપી ચૂક્યા છે કે ગરીબો માટે ચાલી રહેલી કલ્યાણકારી યોજનાઓ બંધ કરવામાં આવશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement