For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મણિકર્ણિકા ઘાટ પર અનોખો નજારો, સળગતી ચિતા વચ્ચે રાખથી રમાઈ હોળી

10:48 AM Mar 13, 2025 IST | Bhumika
મણિકર્ણિકા ઘાટ પર અનોખો નજારો  સળગતી ચિતા વચ્ચે રાખથી રમાઈ હોળી

રંગભરી એકાદશી પર બાબા વિશ્વનાથની પૂજા કર્યા બાદ મણિકર્ણિકા ઘાટ પર વિશ્વ પ્રખ્યાત મસાન હોળીની ઉજવણી શરૂૂ થઈ છે. સળગતી ચિતા વચ્ચે રાખ સાથે હોળી રમવામાં આવી હતી. માતા પાર્વતીના લગ્ન પછી પોતાના ઘરે પાછા ફરેલા બાબા વિશ્વનાથે તેમના અનુયાયીઓ નંદી, શ્રૃંગી, ભૃંગી અને અન્ય ભૂત-પ્રેત સાથે સળગતી ચિતાની રાખથી અદ્ભુત હોળી રમી હતી. આ દરમિયાન આખો ઘાટ હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યો. સૌ પ્રથમ અગ્નિ પ્રગટાવનાર નાગા સાધુ મસાણ ઘાટ પર પહોંચ્યા.

Advertisement

લોકોએ તેમના પર રાખ છાંટી અને હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. આ પછી ચિતાની રાખ સામાન્ય ભક્તો પર નાખવામાં આવી અને મહાદેવના નારા લગાવવામાં આવ્યા. મણિકર્ણિકા ઘાટ તરફ જતા બધા રસ્તા ઠપ્પ થઈ ગયા હતા. શેરીઓ, ઘાટ અને મણિકર્ણિકા ઘાટ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ સમય દરમિયાન મણિકર્ણિકા ઘાટ પર એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement