For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, 4 લોકોના કમકમાટી ભર્યા મોત

09:56 AM Aug 23, 2024 IST | admin
મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના  4 લોકોના કમકમાટી ભર્યા મોત

ઉત્તરાખંડમાં વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સતત સામે આવી રહી છે.આ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે રૂદ્રપ્રયાગના ફાટા હેલીપેડ પાસે ખાટ ગડેરા વિસ્તારમાં ચાર લોકો કાટમાળમાં ફસાયા હતા. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. ગુરુવારે રાત્રે જ SDRF દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તમામ મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે ગુરુવારે રાત્રે 1:20 વાગ્યે ફાટા હેલિપેડ નજીક ખાટ ગડેરે પાસે ચાર લોકો કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ રાહત અને બચાવ કાર્ય માટે રેસ્ક્યુ ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. ચારેય મજૂરો નેપાળના વતની છે.

Advertisement

ભારે વરસાદને કારણે અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થઈ ગયા હતા
ઉત્તરાખંડના ઘણા જિલ્લામાં વરસાદ ચાલુ છે, જેના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું છે. ચમોલી જિલ્લામાં ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે ઘણી જગ્યાએ બંધ થઈ ગયો હતો. કંચન ગંગા, ગુલાબકોટી અને છિનકામાં હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ તમામ સ્થળોએ ચારધામના યાત્રાળુઓ ફસાયેલા છે. હાઇવે ખુલ્લો કરવાની કામગીરી ચાલી રહી છે.

તે જ સમયે, ટિહરીમાં વરસાદને કારણે 15 ગ્રામીણ રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રુદ્રપ્રયાગના ફાટામાં ભૂસ્ખલન બાદ એક કાર કાટમાળ નીચે દબાઈ ગઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માત અંગે પોલીસે કહ્યું હતું કે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના ચોકી ફાટા હેઠળ તરસાલીમાં ભૂસ્ખલનના કાટમાળ નીચે કાર દબાઈ જતાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement