ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોટા આયોજનોમાં થોડા ઘણાં લોકો તો મરે, યુ.પી.ના મંત્રીનું વિવાદિત નિવેદન

11:17 AM Jan 30, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

મૌની અમાસના દિવસે મહાકુંભમાં નાસભાગ મચી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. બંને નેતાઓએ મીડિયામાં નિવેદનો આપીને અકસ્માત પર શોક પણ વ્યક્ત કર્યો છે. પરંતુ આ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સંજય નિષાદે આ અકસ્માત પર મોટું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે આટલી મોટી ઘટનામાં નાના અકસ્માતો થતા રહે છે, મુખ્યમંત્રી તેના પર નજર રાખી રહ્યા છે.
વાસ્તવમાં, નિષાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદ દુર્ઘટના બાદ એક કાર્યક્રમમાં હાજરી આપવા હરદોઈ આવ્યા હતા. અહીં મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે મહાકુંભના આટલા મોટા મેનેજમેન્ટ અને આટલી મોટી ભીડ સાથે નાની નાની ઘટનાઓ બને છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજય નિષાદે વધુમાં કહ્યું કે, મહાકુંભમાં ઘણી ભીડ હોય છે, આવી સ્થિતિમાં લોકોએ ચિંતા કરવાને બદલે ત્રિવેણીના કિનારે જ્યાં જગ્યા મળે ત્યાં સ્નાન કરવું જોઈએ. લોકોએ વધુ પડતી અફવાઓમાં ન પડવું જોઈએ.

Tags :
indiaindia newsupUP ministerUP News
Advertisement
Next Article
Advertisement