For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને ફટકો, મહાવિકાસ અઘાડી મેદાન મારશે, લોકપોલ સરવેનું તારણ

11:07 AM Sep 11, 2024 IST | Bhumika
મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને ફટકો  મહાવિકાસ અઘાડી મેદાન મારશે  લોકપોલ સરવેનું તારણ
Advertisement

ગુજરાત મિરર, મુંબઈ તા. 11
જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રનો મોટો સર્વે સામે આવ્યો છે. પ્રદેશ મુજબ દરેક પક્ષને કેટલી બેઠકો મળી શકે? તેનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રદેશ મુજબના લોકોને કઈ સમસ્યાઓ અસર કરી રહી છે? આનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

મહાયુતિ અને મહાવિકાસ આઘાડીને કેટલી બેઠકો મળી શકે? આનો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા નવેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતા છે. આ માટે રાજ્યમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો સક્રિય છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એમવીએને વિધાનસભા ચૂંટણીમાં 141થી 154 સીટો મળી શકે છે. એટલું જ નહીં મહાયુતિના હાથમાંથી સત્તા સરકી શકે છે. સર્વેમાં 115થી 128 બેઠકો મળવાનો અંદાજ છે. મહારાષ્ટ્રમાં અન્ય પક્ષો જે કોઈપણ જોડાણનો ભાગ નથી. તેમને 5 થી 18 બેઠકો મળી શકે છે.

Advertisement

લોકપોલે તેના સર્વેમાં કહ્યું છે કે ભાજપના નેતૃત્વમાં મહાગઠબંધન એટલે કે એનડીએને વિદર્ભ, મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. આ વિસ્તારોમાં મહાવિકાસ આઘાડીને ફાયદો થશે. ભાજપ, શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી મહાગઠબંધનમાં મુખ્ય ઘટક છે. આ ઉપરાંત, કેટલાક નાના જૂથો પણ છે. સર્વેમાં અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે.

મહાયુતિને મુંબઈ, ઉત્તર મહારાષ્ટ્ર અને કોંકણમાં સારી બેઠકો મળી શકે છે. સર્વેમાં સૌથી મોટી વાત સામે આવી છે. એટલે કે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે, પરંતુ આ માટે તેને મજબૂત અભિયાનની જરૂૂર પડશે. આ સાથે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદેની લોકપ્રિયતા વધી છે પરંતુ ફડણવીસની લોકપ્રિયતા ઘટી છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ સંકટ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા, મહારાષ્ટ્રના ગૌરવની ખોટ અને વધતી બેરોજગારી જેવા મુદ્દા ભાજપ માટે પડકારો બની રહ્યા છે. આ મુદ્દાઓએ ભાજપ વિરૂૂદ્ધ એન્ટી ઈન્કમ્બન્સી ઊભી કરી છે. ભાજપ સામે સત્તા વિરોધી ભાવના વધી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે, પરંતુ તેની પાસે પાયાના સ્તરે પ્રચારનો અભાવ છે. રાજ્યમાં અનેક સમસ્યાઓ માટે ફડણવીસને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. એકનાથ શિંદેની લોકપ્રિયતા વધી રહી છે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં જઈ રહેલા પ્રોજેક્ટો પાયાના સ્તરે નારાજગીનું કારણ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement