રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રેલવે મંત્રાલયની પેટા કંપની બ્રાથવેટનો સપ્ટેમ્બર સુધીની આવક 588 કરોડ

05:35 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બ્રાથવેટ એન્ડ કંપની લિમિટેડ, ભારતીય રેલ્વે મંત્રાલય હેઠળની અગ્રણી PSU, 11 જાન્યુઆરી 2022ના રોજ મિનીરત્ન-1‘ દરજ્જો એનાયત કરવામાં આવ્યો હતો. કંપની સતત નફો કમાઈ રહી છે અને 2023-24માં તેની અત્યાર સુધીની સૌથી વધુ ₹1,103 કરોડની આવક છે. 2024-25 માટે, કંપનીએ સપ્ટેમ્બર 2024 સુધી ₹588 કરોડની આવક ઊભી કરી છે.

આ કંપનીની સ્થાપના 1913માં બ્રાથવેટ એન્ડ કંપની એન્જિનિયર્સ લિમિટેડ( U.K.)ની ભારતીય પેટાકંપની તરીકે કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ માળખાકીય સ્ટીલના કાર્યોનું ઉત્પાદન કરવાનો હતો. 1934 માં, ભારતીય રેલ્વે માટે વેગનનું ઉત્પાદન કોલકાતામાં ક્લાઈવ વર્ક્સ ખાતેથી શરૂૂ થયું. કંપની ભારતમાં 28 ફેબ્રુઆરી 1930ના રોજ બ્રાથવેઈટ એન્ડ કંપની (ઈન્ડિયા) લિમિટેડ તરીકે સામેલ થઈ હતી. 1960માં, કંપનીએ હુગલી જિલ્લામાં ભદ્રેશ્વર ખાતે એંગસ વર્કસની સ્થાપના કરી, જ્યાં ક્રેન્સ, ફાઉન્ડ્રી ઉત્પાદનો અને મશીનરી ઘટકોનું ઉત્પાદન થાય છે. 1976માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તે ભારત સરકારની સંપૂર્ણ માલિકીની કંપની બની. તેનું વહીવટી નિયંત્રણ 6 ઓગસ્ટ 2010 થી ભારતીય રેલ્વે મંત્રાલય દ્વારા લેવામાં આવ્યું હતું. બ્રાથવેટ ભારતીય રેલવે અને અન્ય ઉદ્યોગો માટે ઇનોવેશન અને એન્જિનિયરિંગમાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે.

Tags :
Brathwaiteindiaindia newsRailways
Advertisement
Next Article
Advertisement