હિમાચલમાં વાદળ ફાટતાં 51 લાપતા, ત્રણ મોત
મંડી અને શિમલા જિલ્લામાં મધરાત્રે કુદરતી કોપ ઉતર્યો, અનેક મકાનો- રસ્તા ધોવાયા, કેદારનાથમાં અનેક યાત્રિકો ફસાયા, બચાવકાર્ય માટે એરફોર્સ એલર્ટ
કેરલના વાયનાડ બાદ હવે હિમાચલમાં કુદરતનો કોપ ઉતર્યો હોય તેમ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળુ ફાટતા ભારે વિનાશ સર્જાયો છે અને ત્રણ સ્થળે સર્જાયેલ તબાહીમાં 51 જેટલા લોકો ગુમ થયા છે. જયારે પ્રાથમિક અહેવાલો મુજબ ત્રણ લોકોના મોત નિપજયા છે. હજુ મૃત્યુ આંક વધવાનો ભય છે.
ગત દિવસે પહેલા ટિહરીમાં અને પછી કેદારનાથ રોડ પર વાદળો ફાટ્યા હતા. આ પછી મંદાકની નદી જોરથી વહેવા લાગી. ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધી નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. સોનપ્રયાગ અને ગૌરીકુંડની હોટલો ખાલી કરાવવામાં આવી હતી. રૂૂદ્રપ્રયાગના ડીએમ સૌરભ ગહરવારે કેદારનાથ યાત્રા રોકવાનો આદેશ આપ્યો છે. અનેક યાત્રિકો કેદારનાથમાં ફસાયા છે. વાદળ ફાટવાને કારણે તપ્તકુંડ અને કેદારનાથ પદયાત્રાનો માર્ગ ધોવાઈ ગયો હતો. લગભગ 25 મીટર પહોળો રોડ તૂટી ગયો છે. કો ભીમ્બલી જીએમવીએનમાં 200 થી વધુ ભક્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જંગલચટ્ટી અને ભીંબલી વચ્ચે લીંચોલી પાસે વાદળ ફાટ્યું. આ પહેલા ટિહરી જિલ્લાના ઘંસાલીમાં ગ્રામ પંચાયત જખાન્યાલીના નૌતાદ ટોકમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે પતિ-પત્નીના મોત થયા હતા.
હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કુલ્લુના નિર્મંડ બ્લોક, કુલ્લુના મલાના અને મંડી જિલ્લાના વિસ્તારોમાં વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય જગ્યાએથી 40 જેટલા લોકો ગુમ થયા છે. જેમાંથી ત્રણ લાશ મળી છે. અહીં 35 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. વાદળ ફાટવાની ઘટના બાદ આજે મંડી વિસ્તારની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.
શિમલા જિલ્લામાં 19 અને મંડી જિલ્લામાં 9 લોકો લાપતા થયાના અહેવાલ છે.પધાર સબ ડિવિઝનના થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટનામાં નવ લોકો ગુમ થયાની માહિતી મળી છે, કુલ ત્રણ લાશ મળી આવી છે. જ્યારે 35 સલામત છે. મંડી જિલ્લા પ્રશાસને બચાવ માટે એરફોર્સને એલર્ટ કરી દીધી છે. જ્યારે મદદની જરૂૂર પડશે ત્યારે સેવાઓ માંગવામાં આવશે. એનડીઆરએફને પણ મદદ માટે વિનંતી કરવામાં આવી છે.
ડીસી અપૂર્વ દેવગન અને બચાવ ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં પગપાળા જઈ રહી છે. સ્થળ પર હાજર સ્થાનિક પ્રશાસન રાહત કાર્યમાં લાગેલું છે. તૂટેલા રસ્તાઓ અને રસ્તાઓને કારણે સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.
ઝારખંડમાં વીજકરંટથી પાંચ કાવડીયાના મોત
ઝારખંડના લાતેહાર જિલ્લામાં ગુરુવારે સવારે હાઇ-ટેન્શન ઓવરહેડ વાયરના સંપર્કમાં આવતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા અન્ય ત્રણ કાવડ યાત્રાળુઓને પણ ઈજા થઈ હતી. આ ઘટના તમ તામ ટોલામાં સવારે 3 વાગ્યે બની હતી. આ તમામ શ્રદ્ધાળુઓ દેવઘરમાં બાબા વૈદ્યનાથ મંદિરથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું વાહન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું હતું. બાલુમથ ઉપ-વિભાગીય પોલીસ અધિકારી આશુતોષ કુમાર સત્યમે ઘટના અંગે જણાવ્યું હતું કે, તેમના વાહન પર એક હાઈ-ટેન્શન ઓવરહેડ વાયર પડ્યો હતો, જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.