For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પંજાબના ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 5ના મોત, 27થી વધુ ઈજાગ્રસ્ત

10:28 AM May 30, 2025 IST | Bhumika
પંજાબના ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થતાં 5ના મોત  27થી વધુ ઈજાગ્રસ્ત

પંજાબમાં એક મોટી દુર્ઘટના બની છે. પંજાબના લમ્બી મતવિસ્તાર નજીક સિંઘેવાલા-ફુતૂહીવાલા ગામના ખેતરોમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ આ વિસ્ફોટમાં 27 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને 5થી વધુના મોત નીપજ્યા છે. હાલમાં પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે અને રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. ઘાયલોને ભટિંડાના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

ગઈ કાલે મોદી રાત્રે સિંઘેવાલા-ફુતુહીવાલા ગામના ખેતરમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ મોટી દુર્ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 25 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. અત્યાર સુધી મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની ઈમારત પળવારમાં ધ્વસ્ત થઇ હતી..

જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે ઘણા કિલોમીટર સુધી ધ્રુજી ગયા. આ ફેક્ટરીમાં કુલ 40 કામદારો કામ કરે છે. બે શિફ્ટમાં ચાલે છે. આમાંથી ઘણા કામદારો અહીં પોતાના પરિવાર સાથે રહે છે.

Advertisement

ફેક્ટરીમાં કામ કરતા મોટાભાગના કામદારો યુપી અને બિહારથી આવ્યા હતા. આ અકસ્માત મોડી રાત્રે થયો હતો, જ્યારે મોટાભાગના કામદારો ફેક્ટરીની બહાર ખેતરોમાં ખુલ્લા આકાશ નીચે સૂતા હતા. વિસ્ફોટ પછી ઘણા કામદારોએ પોતાની આંખોથી ઇમારત ધરાશાયી થતી જોઈ હતી. આ અકસ્માતમાં મોટી સંખ્યામાં કામદારો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

અકસ્માત પછી રાહત કાર્યમાં રોકાયેલી ટીમો કાટમાળ દૂર કરવામાં રોકાયેલી છે. કાટમાળ નીચેથી ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ મામલાને ગંભીરતાથી લેતા તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement