રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

1 રૂપિયામાં 350 એકર? ગાંગુલીને મમતા સરકારે આપેલી જમીનનો વિવાદ હાઇકોર્ટમાં

05:28 PM Aug 02, 2024 IST | admin
Advertisement

પીઆઇએલની સુનાવણી ચીટ ફંડ કેસ માટે રચાયેલી ડિવિઝન બેંચમાં જ થશે

Advertisement

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર સૌરભ ગાંગુલીને જમીન આપવાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેમા પીઆઈએલમાં સીએમ મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકાર દ્વારા સૌરભ ગાંગુલીને 350 એકરની જમીન માત્ર રૂૂ. 1ની લીઝ પર આપી છે. આ પીઆઈએલની સુનાવણી ચિટ ફંડ કેસ માટે રચાયેલી ડિવિઝન બેંચમાં થશે. પીઆઈએલ પર, ચીફ જસ્ટિસની ડિવિઝન બેન્ચે કહ્યું કે ચિટ ફંડ કેસની સુનાવણી જસ્ટિસ જૈમાલ્ય બાગચીની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચ કરી રહી છે. આ જ ડિવિઝન બેન્ચ તેની સુનાવણી કરશે.

સૌરવ ગાંગુલીને ફેક્ટરી બનાવવા માટે રૂૂ. 1માં 999 વર્ષ માટે જમીન લીઝ પર કેવી રીતે આપવામાં આવી? આ બાબતે કોલકાતા હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પશ્ચિમ મેદિનીપુરમાં રૂૂ. 1 માં ફેક્ટરી માટે જમીન આપવા સામેની પીઆઈએલની સુનાવણી હવે કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ જૈમાલ્ય બાગચીની ડિવિઝન બેન્ચમાં થશે. પીઆઈએલમાં મમતા બેનર્જીની સરકાર દ્વારા જમીન આપવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

આ મામલાની સુનાવણી ચિટ ફંડ કેસ માટે રચાયેલી ડિવિઝન બેંચમાં થશે. ચીફ જસ્ટિસની ડિવિઝન બેન્ચે કહ્યું કે ચિટ ફંડ કેસની સુનાવણી જસ્ટિસ જૈમાલ્ય બાગચીની ડિવિઝન બેંચ દ્વારા કરવામાં આવી રહી છે. આથી તે આ જાહેર હિતની બાબતની પણ સુનાવણી કરશે. પશ્ચિમ બંગાળ સરકારે પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના ચંદ્રકોણામાં ફિલ્મ સિટી બનાવવા માટે પ્રયાગ ગ્રુપને 750 એકર જમીન આપી હતી. પ્રયાગ ગ્રૂપે રૂૂ. 2700 કરોડના રોકાણનું વચન આપ્યું હતું. પરતું ત્યારબાદ ચિટ ફંડમાં કૌભાંડમાં પ્રયાગ ગ્રુપનું નામ સામે આવ્યું આથી કંપનીની બધી મિલકત જપ્ત કરવામાં આવી જેમાં આ જમીન પણ હતી.

Tags :
350 acres for 1 rupeegovernment in the High Courtindiaindia news
Advertisement
Next Article
Advertisement