રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઝારખંડમાં પોલીસ ભરતીમાં 25 ઉમેદવારો બેભાન, 3ના મોત

05:42 PM Aug 31, 2024 IST | admin
Advertisement

શ્ર્વાસ રૂંધાવાના કારણે મોત થયુ કે સ્ટેમિના વધારવા દવા લીધીની શંકાના આધારે તપાસ શરૂ

Advertisement

ઝારખંડના પલામુમાં કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં શારીરિક કસોટી દરમિયાન 25 ઉમેદવારો બેહોશ થઈ ગયા. આ પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સારવાર દરમિયાન ત્રણ ઉમેદવારોના મોત થયા છે.

સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર મણિભૂષણ પ્રસાદે જણાવ્યું હતું કે 25 ઉમેદવારોને પલામુ જિલ્લાના મેદિનીનગરમાં મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બે ઉમેદવારોનું મૃત્યુ થયું હતું, જ્યારે એકનું આરઆઇએમએસ, રાંચીમાં મૃત્યુ થયું હતું.

હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર.કે. રંજને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ આ તમામના મોત શ્વાસ રૂૂંધાવાને કારણે થયા છે. અમને એવી પણ શંકા છે કે આ લોકોને તેમનો સ્ટેમિના વધારવા માટે એનેસ્થેટિક આપવામાં આવ્યું હતું. હાલ અમે મોતના કારણની તપાસ કરી રહ્યા છીએ. મૃતકોમાં 20 વર્ષીય અમરેશ કુમાર, 25 વર્ષીય અરુણ કુમાર અને 25 વર્ષીય પ્રદીપ કુમારનો સમાવેશ થાય છે.

આ ઘટના બાદ અધિકારીઓએ સવારે 4:30 વાગ્યાથી શારીરિક પરિક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા તે સવારે 9 વાગ્યે થતો હતો. મુખ્યમંત્રી હેમંત સોરેને અધિકારીઓને આ મામલાની તાત્કાલિક નોંધ લેવાનો નિર્દેશ આપ્યો છે.

પોલીસે જણાવ્યું કે પલામુ જિલ્લામાં આબકારી વિભાગની કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં રેસમાં ભાગ લેનારા અને શારીરિક કસોટી આપનારા લગભગ 100 ઉમેદવારો અત્યાર સુધી બેભાન થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ભરતી પ્રક્રિયા 9 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

ગિરિડીહ જિલ્લામાં પણ એક યુવક બેહોશ થઈ ગયો. અહીં સુમિત નામનો યુવક અચાનક બેભાન થઈ ગયો અને તેને સદર હોસ્પિટલ ગિરિડીહના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો. સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. આ મામલાને લઈને સીએમ હેમંત સોરેને તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા ગિરિડીહના ડીસીને તાત્કાલિક સંજ્ઞાન લેવા સૂચના આપી છે.

Advertisement
Next Article
Advertisement