For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નોકરિયાત વર્ગને નવી વ્યવસ્થામાં ITમાં 17,500નો ફાયદો

04:55 PM Jul 23, 2024 IST | admin
નોકરિયાત વર્ગને નવી વ્યવસ્થામાં itમાં 17 500નો ફાયદો

જૂની સીસ્ટમમાં કોઇ ફેરફાર નહીં, સ્ટાન્ડર્ડ ડિડક્શન 25 હજાર વધારી 75 હજાર કરાયું

Advertisement

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં જૂની કર વ્યવસ્થા પસંદ કરનારાઓને કોઈ છૂટ આપી નથી. જો કે, નવી ટેક્સ વ્યવસ્થામાં સ્લેબમાં ફેરફાર અને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં રૂ.25 હજારનો વધારો થવાથી પગારદાર વર્ગને થોડી રાહત મળી છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તેમના સાતમા બજેટમાં અપેક્ષા મુજબ આવકવેરાના મોરચે કોઈ મોટી રાહત આપી ન હતી, પરંતુ નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે નાની રાહતોની વ્યવસ્થા કરી હતી. નાણાપ્રધાને તેમના બજેટ ભાષણમાં દાવો કર્યો હતો કે નવી કર વ્યવસ્થામાં આવકવેરા સ્લેબમાં કરાયેલા ફેરફારોથી કરદાતાઓને લગભગ 17,500 રૂપિયાની બચત થશે. જૂના ટેક્સ પ્રણાલી સાથે ચાલનારાઓને કોઈ લાભ મળતો હોય તેવું લાગતું નથી.

Advertisement

તેમણે કહ્યું કે નવી ટેક્સ વ્યવસ્થામાં પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂૂપિયા કરવામાં આવી રહ્યું છે.

આ સિવાય પહેલાની જેમ 3 લાખ રૂૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં લાગે, 3 થી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકા, 7 થી 10 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 10 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ નહીં લાગે., 12થી 15 લાખ પરંતુ 20% ટેક્સ ભરવો પડશે અને 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ ચૂકવવો પડશે. તેમણે કહ્યું કે આનાથી સરકારને સાત હજાર કરોડની આવકનું નુકસાન થશે અને ચાર કરોડ પગારદાર લોકોને તેનો ફાયદો થશે.

જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જૂના સ્લેબ અને જૂના દરો યથાવત રહેશે. જૂની ટેક્સ સિસ્ટમમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી.

આ પછી 2.5 લાખથી 5 લાખ રૂપિયાની આવક પર 5%, 5 લાખ રૂપિયાથી વધુ અને 10 લાખ રૂપિયા સુધીની આવક પર 20% અને 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ લાગે છે. જો કે, જૂના કર વ્યવસ્થામાં ઘણા કર બચત સાધનોને મુક્તિ આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement