For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદી 3.0ના 100 દિવસમાં 15 લાખ કરોડના પ્રોજેક્ટ મંજૂર

11:37 AM Sep 16, 2024 IST | admin
મોદી 3 0ના 100 દિવસમાં 15 લાખ કરોડના પ્રોજેક્ટ મંજૂર

9.3 કરોડ ખેડૂતો માટે 20 હજાર કરોડ, 4.1 કરોડ યુવાઓને રોજગારી માટે 2 લાખ કરોડ, 25000 ગામડાના રોડ-રસ્તા માટે 3 લાખ કરોડ સહિતના અનેક નિર્ણયો લેવાયા

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આ વખતે ખૂબ જ ખાસ રહેવાનો છે. મંગળવારે 17મી સપ્ટેમ્બરે એનડીએ સરકાર 3.0 ના 100 દિવસ પણ પૂર્ણ થઈ રહ્યા છે. સામાન્ય ચૂંટણીના પરિણામો પહેલા જ પીએમ મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને 100 દિવસનો રોડમેપ તૈયાર કર્યો હતો. આ 100 દિવસો પર નજર કરીએ તો મોદી સરકારે ખેડૂતોને કેન્દ્રમાં રાખ્યા છે. આ ઉપરાંત રોજગારી વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.

ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી, મોદી સરકારે સૌપ્રથમ પીએમ કિસાન નિધિનો 17મો હપ્તો બહાર પાડ્યો. આ અંતર્ગત લગભગ 9.3 કરોડ ખેડૂતોને 20 હજાર કરોડ રૂૂપિયા આપવામાં આવ્યા હતા.
આ સિવાય એમએસપી વધારો પણ કૃષિ ક્ષેત્ર માટે મહત્વનો નિર્ણય ગણી શકાય. ઘણા પાકો પર એમએસપી 100 થી 550 રૂૂપિયા સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોયાબીન અને સનફ્લાવર ઓઈલની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે, જેનો લાભ પણ ખેડૂતો લઈ શકશે.

Advertisement

લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે રોજગારીને મોટો મુદ્દો બનાવ્યો હતો. કૌશલ્ય વિકાસ મિશનને ધ્યાનમાં રાખીને, કૌશલ્ય સુધારણા અને 4.1 કરોડ યુવાનોના રોજગાર નિર્માણ માટે બજેટમાં 2 લાખ કરોડ રૂૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સરકારે જાહેરાત કરી છે કે 1 કરોડ યુવાનોને 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપનો લાભ મળશે.

સરકાર પણ મહિલાઓની આવક વધારવાને મોટી સફળતા ગણાવે છે. દાવો કરવામાં આવે છે કે 100 દિવસમાં 11 લાખ લાખપતિ દીદીઓ બનાવવામાં આવી છે.

સરકારમાં સામેલ લોકોનું કહેવું છે કે 100 દિવસમાં મોદી સરકારે 15 લાખ કરોડ રૂૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેમનું કહેવું છે કે આ પહેલીવાર છે જ્યારે પ્રોજેક્ટના લોકાર્પણની સાથે ઉદ્ઘાટનની તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ રોજગારી માટે પણ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, રોજગારનો અર્થ માત્ર સરકારી નોકરી નથી. રોજગાર માટે ઘણા લાંબા ગાળાના પ્રોજેક્ટ પણ શરૂૂ કરવામાં આવ્યા છે.

એનડીએ સરકારે તેના 100 દિવસના કાર્યકાળ દરમિયાન 3 લાખ રૂૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે જેમાં 25,000 ગામડાઓને રોડ નેટવર્ક સાથે જોડવા અને વઢવાણમાં મેગા પોર્ટ બનાવવાનો સમાવેશ થાય છે. દેશમાં પ્રથમ 100 દિવસમાં 75 હજાર મેડિકલ સીટોનો વધારો પણ સરકારની મોટી સફળતા માનવામાં આવી રહી છે. સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ (સુધારા) બિલ 2024 પણ રજૂ કર્યું હતું. રાજ્યોમાં પૂરનો સામનો કરવા માટે 12554 કરોડ રૂૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. મોદી સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને દર વર્ષે 5 લાખ રૂૂપિયા સુધીનું મેડિકલ કવર આપવાની જાહેરાત કરી છે.

મણિપુર, આતંકવાદ, સેબી, શિવાજીની પ્રતિમા વગેરે મુદ્દે મોદી સરકાર નિષ્ફળ રહી છે: કોંગ્રેસ અધ્યક્ષ

કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર તેના 100 દિવસના એજન્ડામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ પર અંકુશ આવ્યો નથી. આ સિવાય મણિપુર 16 મહિનાથી સળગી રહ્યું છે અને વડાપ્રધાન મોદી ક્યારેય પાછા વળીને ત્યાં ગયા નથી. તેમણે હિંડનબર્ગ રિપોર્ટમાં સેબીના ચેરપર્સન સામેના ભ્રષ્ટાચારના આરોપોને પણ મોદી સરકારની નિષ્ફળતા ગણાવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પેપર લીક અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પડવાના મુદ્દે પણ સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ખડગેએ કહ્યું કે વિરોધ પક્ષોના કારણે વકફ બિલને જેપીસીને સોંપવું પડ્યું અને સરકારે લેટરલ એન્ટ્રી પર યુ-ટર્ન લેવો પડ્યો.

Advertisement
Tags :
Advertisement
Advertisement