For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એર ઇન્ડિયાની ફલાઇટમાંથી ધૂમાડો નીકળતા 148 મુસાફરો ભયભીત

06:05 PM Oct 04, 2024 IST | Bhumika
એર ઇન્ડિયાની ફલાઇટમાંથી ધૂમાડો નીકળતા 148 મુસાફરો ભયભીત
Advertisement

એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (ix- 549) નું ઈમરજન્સી લેન્ડિંગ આજે તિરુવનંતપુરમ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. ઉડાન ભર્યા બાદ ફ્લાઈટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ ફ્લાઈટ મસ્કત જઈ રહી હતી. વિમાનમાં 148 મુસાફરો સવાર હતા.મળતી માહિતી મુજબ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. મુસાફરોની આગળની મુસાફરી માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તિરુવનંતપુરમથી મસ્કત જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ ઈંડ 549 ટેકઓફ દરમિયાન જાણ થઈ હતી. આ ઘટના આજે સવારે 8:39 વાગ્યે તિરુવનંતપુરમ એરપોર્ટ પર બની હતી. રનવે પર ધુમાડો જોવા મળ્યો હતો. જોયા બાદ મુસાફરોને લાવવામાં આવ્યા હતા. સલામત રીતે પાછા ફર્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement